Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સીએમ પસંદ કરવા માટેના બીજેપીના નિરીક્ષકોમાં રાજનાથ, મનોહર ખટ્ટર અને અર્જુન મુંડા સામેલ

સીએમ પસંદ કરવા માટેના બીજેપીના નિરીક્ષકોમાં રાજનાથ, મનોહર ખટ્ટર અને અર્જુન મુંડા સામેલ

Published : 09 December, 2023 11:00 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિધાનસભા પક્ષના લીડર્સ આ ત્રણ રાજ્યોના મુખ્ય પ્રધાન બનશે અને તેમને ચૂંટી કાઢવા માટેની મીટિંગ્ઝ આ વીક-એન્ડમાં થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બીજેપીએ ગઈ કાલે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં એના વિધાનસભા પક્ષના લીડર્સની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષકો તરીકે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર અને આદિવાસી બાબતોના પ્રધાન અર્જુન મુંડાની નિમણૂક કરી હતી.

વિધાનસભા પક્ષના લીડર્સ આ ત્રણ રાજ્યોના મુખ્ય પ્રધાન બનશે અને તેમને ચૂંટી કાઢવા માટેની મીટિંગ્ઝ આ વીક-એન્ડમાં થઈ શકે છે. પાર્ટીમાં એવો મત છે કે પાર્ટીનું નેતૃત્વ નવા ચહેરાઓને આ ત્રણ રાજ્યોનું સુકાન સોંપી શકે છે. રાજનાથની સાથે રાજસ્થાન માટેના કેન્દ્રીય નિરીક્ષકોમાં પાર્ટીના ઉપાધ્યક્ષ સરોજ પાંડે અને એના મહાસચિવ વિનોદ તાવડે પણ છે. બીજેપીમાં ખૂબ જ ચર્ચા છે કે પાર્ટીની લીડરશિપ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેને ઇગ્નોર કરીને નવા લીડરને લાવી શકે છે.  



મધ્ય પ્રદેશ વિધાનસભા પાર્ટી મીટિંગ માટે ખટ્ટરની સાથે પાર્ટીના ઓબીસી મોરચાના વડા કે. લક્ષ્મણ અને એનાં સચિવ આશા લાકરા છે, જ્યારે મુંડાની સાથે કેન્દ્રીય પ્રધાન સરબાનંદા સોનોવાલ અને બીજેપીના મહાસચિવ દુશ્વંત કુમાર ગૌતમ છત્તીસગઢ માટેના કેન્દ્રીય નિરીક્ષકો રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2023 11:00 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK