Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મોદીએ આપી ઉપરાષ્ટ્રપતિને લાગણીસભર વિદાય

મોદીએ આપી ઉપરાષ્ટ્રપતિને લાગણીસભર વિદાય

09 August, 2022 09:23 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્યસભા ચૅરમૅનનાં વિવિધ પક્ષોના નેતાઓએ કર્યાં વખાણ

વિવિધ પક્ષોના નેતાઓની વાત સાંભળીને લાગણીશીલ થયેલા ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુ

વિવિધ પક્ષોના નેતાઓની વાત સાંભળીને લાગણીશીલ થયેલા ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુ


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચૅરમૅન એમ. વેન્કૈયા નાયડુને તેમણે સંસદના ઉપલા ગૃહમાં લીધેલાં પગલાં માટે યાદ કરવામાં આવશે. આ વાત તેમણે રાજ્યસભામાં તેમને ​વિદાય આપતા ભાષણમાં કરી હતી. વિવિધ પક્ષોના નેતાઓએ તેમનાં વખાણ કરતાં ઉપરાષ્ટ્રપતિ લાગણીશીલ થઈ ગયા હતા. મોદીએ કહ્યું કે રાજ્યસભામાં તેમની હાજરીને કારણે હાઉસની પ્રોડક્ટિવિટીમાં ઘણો વધારો જોવા મળ્યો હતો. તેમના નેતૃત્વ દરમ્યાન ગૃહની પ્રોડક્ટિવિટી વધીને ૭૦ ટકા થઈ ગઈ હતી. સભ્યોની હાજરીમાં વધારો થયો હતો, એટલું જ નહીં, કુલ ૧૭૭ બિલ પાસ થયાં અને એની ચર્ચા થઈ હતી. તમારે કારણે રાજ્યસભાના કામકાજમાં સુધારો જોવા મળ્યો હતો. આપણે જ્યારે ૧૫ ઑગસ્ટે આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સ્પીકર અને વડા પ્રધાન તમામનો જન્મ આઝાદી બાદ થયો હતો અને ખૂબ જ સામાન્ય સ્તરથી તેઓ અહીં સુધી પહોંચ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2022 09:23 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK