Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારત સિંધુ નદી પર ડૅમ બનાવશે તો અમે એને ઉડાવી દઈશું

ભારત સિંધુ નદી પર ડૅમ બનાવશે તો અમે એને ઉડાવી દઈશું

Published : 04 May, 2025 02:50 PM | Modified : 05 May, 2025 06:59 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તનાવ વચ્ચે પાકિસ્તાનના પ્રધાનની વધુ એક ધમકી, ભારત સિંધુ નદી પર ડૅમ બનાવશે તો અમે એને ઉડાવી દઈશું, આ હુમલો ફક્ત તોપો અને ગોળીઓ દ્વારા જ નથી, પાણી રોકવા અથવા વાળવા એ પણ પાકિસ્તાન પર હુમલો છે.

આસિફ ખ્વાજા

આસિફ ખ્વાજા


પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધી રહ્યો છે. ભારતે થોડા દિવસો અગાઉ સિંધુ જળ સંધિ રદ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સિંધુ નદીના પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન ન મોકલવાનો સંકલ્પ લીધો છે, જેનાથી પાડોશી દેશ ગુસ્સે ભરાયો છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે હવે ધમકી આપી છે કે ‘જો ભારત સિંધુ નદીનું પાણી રોકવા માટે ડૅમ બનાવશે તો પાકિસ્તાન હુમલો કરીને એને ઉડાવી દેશે. પાકિસ્તાન આવતું સિંધુ નદીનું પાણી રોકવાને આક્રમણ ગણવામાં આવશે. આ હુમલો ફક્ત તોપો અને ગોળીઓ દ્વારા જ નથી, પાણી રોકવા અથવા વાળવા એ પણ પાકિસ્તાન પર હુમલો છે. જો ભારત આવો કોઈ પ્રયાસ કરશે તો પાકિસ્તાન એ સ્ટ્રક્ચરને ઉડાડી દેશે.’


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2025 06:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK