Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતની નવી શેર AK-203 રાઇફલ પ્રતિ મિનિટે ૭૦૦ ગોળીઓ છોડશે, ૮૦૦ મીટર દૂરના લક્ષ્યને ટાર્ગેટ કરશે

ભારતની નવી શેર AK-203 રાઇફલ પ્રતિ મિનિટે ૭૦૦ ગોળીઓ છોડશે, ૮૦૦ મીટર દૂરના લક્ષ્યને ટાર્ગેટ કરશે

Published : 19 July, 2025 12:13 PM | Modified : 19 July, 2025 12:14 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતની નવી ‘શેર’ રાઇફલ્સ જૂની ઇન્ડિયન સ્મૉલ આર્મ્સ સિસ્ટમ (INSAS)ને બદલશે

ભારતની નવી શેર AK-203 રાઇફલ

ભારતની નવી શેર AK-203 રાઇફલ


ભારતીય સેનાને ડિસેમ્બર સુધીમાં AK-203 અસૉલ્ટ રાઇફલ્સનો નવો બૅચ મળશે. આ રાઇફલને ‘શેર’ નામ આપવામાં આવ્યું છે. આ રાઇફલ્સનું ઉત્પાદન ઉત્તર પ્રદેશના અમેઠીમાં ઇન્ડો-રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ (IRRPL) દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતની નવી ‘શેર’ રાઇફલ્સ જૂની ઇન્ડિયન સ્મૉલ આર્મ્સ સિસ્ટમ (INSAS)ને બદલશે.


AK-203 કાલાશ્નિકોવ શ્રેણીમાં નવીનતમ રાઇફલ છે. એ પ્રતિ મિનિટ ૭૦૦ રાઉન્ડ ફાયર કરે છે. એની રેન્જ ૮૦૦ મીટર છે અને એ જૂની INSAS રાઇફલ્સ કરતાં હળવી, ટૂંકી અને ઘાતક છે. AK-203 રાઇફલ્સ ભારતીય સેનાને પહેલાં ક્યારેય ન જોઈ હોય એવી શક્તિ આપવા માટે તૈયાર છે.



‘શેર’ ભારતીય સૈનિકો માટે પાકિસ્તાન સાથેની લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) અને ચીન સાથેની લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) સહિત ઉચ્ચ જોખમી સરહદો પર પ્રાથમિક અસૉલ્ટ રાઇફલ બનશે. ઘૂસણખોરીવિરોધી અને આતંકવાદવિરોધી કામગીરી માટે આ રાઇફલો બનાવવામાં આવી છે.


આ રાઇફલો બનાવવા માટે ભારત અને રશિયા વચ્ચેના સંયુક્ત સાહસનો ૫૨૦૦ કરોડ રૂપિયાનો કરાર થયો છે. અત્યાર સુધીમાં લગભગ ૪૮,૦૦૦ રાઇફલ્સ ડિલિવર કરવામાં આવી છે. આગામી બે-ત્રણ અઠવાડિયાંમાં વધુ ૭૦૦૦ રાઇફલ્સ અને આ વર્ષે ડિસેમ્બર સુધીમાં ૧૫,૦૦૦ વધુ રાઇફલ્સ સોંપવામાં આવશે. ડિસેમ્બર ૨૦૩૦ સુધીમાં ૬ લાખથી વધુ રાઇફલ્સની ડિલિવરી પૂરી કરવાનું લક્ષ્ય છે. ૨૦૨૬થી ફૅક્ટરી દર મહિને ૧૨,૦૦૦ રાઇફલ્સ બનાવશે.

AK-47 કરતાં કેટલી સારી?


AK-203 રાઇફલ્સ જૂનાં AK-47 અને AK-56 મૉડલ કરતાં ઘણી અદ્યતન છે. તેઓ કાલાશ્નિકોવ પરિવારની સૌથી શક્તિશાળી રાઇફલોમાંની એક છે. એની મૅગેઝિન ૩૦ કારતૂસ સુધી રાખી શકે છે.

૮.૫ એકર જમીનમાં ફૅક્ટરી

આ ફૅક્ટરી અમેઠીમાં ૮.૫ એકર જમીન પર સ્થાપિત છે અને હાલમાં ૨૬૦થી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે, જેમાં કાયમી રશિયન નિષ્ણાતોનો સમાવેશ થાય છે. કર્મચારીઓની સંખ્યા વધીને ૫૩૭ થશે, જેમાંથી ૯૦ ટકા સ્થાનિક હશે.

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2025 12:14 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK