Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > થાઇલૅન્ડના વડા પ્રધાને પણ ડોનલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો ફગાવી દીધો

થાઇલૅન્ડના વડા પ્રધાને પણ ડોનલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો ફગાવી દીધો

Published : 15 December, 2025 08:47 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કહ્યું હતું કે આ કદાચ ગેરસમજ છે, ટ્રમ્પે ખોટો દાવો કર્યો હતો કે અમે ગોળીબાર બંધ કરવા સંમત થયા હતા.

અનુતિન ચાર્નવિરાકુલ

અનુતિન ચાર્નવિરાકુલ


થાઇલૅન્ડના વડા પ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે થાઇલૅન્ડ અને કમ્બોડિયા વચ્ચે યુદ્ધવિરામ કરારમાં મધ્યસ્થી કરવાના અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના દાવાને ફરીથી નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે આ કદાચ ગેરસમજ છે, ટ્રમ્પે ખોટો દાવો કર્યો હતો કે અમે ગોળીબાર બંધ કરવા સંમત થયા હતા.

ટ્રમ્પ વારંવાર દાવો કરી ચૂક્યા છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ સહિત ૮ યુદ્ધ રોકાવ્યાં છે અને આ માટે તેઓ નોબેલ શાંતિ પુરસ્કારને પાત્ર છે. તાજેતરમાં થાઇલૅન્ડ અને કમ્બોડિયા બન્નેએ એકબીજા પર હુમલો કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. ટ્રમ્પે આ બન્ને દેશો વચ્ચે શાંતિકરારમાં મધ્યસ્થી કરી હોવાનો દાવો કર્યો હતો. તેમણે આ સિદ્ધિને વિશ્વ સમક્ષ રજૂ કરીને એને તેમની સૌથી મોટી રાજદ્વારી જીત ગણાવી હતી. કરાર પર હસ્તાક્ષર થયા પછી તરત જ ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર અનેક પોસ્ટ કરી હતી. તેમનું કહેવું હતું કે ફક્ત હું જ આ કરી શકું છું, અન્ય કોઈ નેતા કે પ્રશાસનમાં દાયકાઓ જૂના આ સંઘર્ષને ઉકેલવાની ક્ષમતા નથી. 


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2025 08:47 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK