Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લોકો પાઇલટોએ પુલ પર ખરાબ થયેલી ટ્રેનને જીવ જોખમમાં મૂકીને રિપેર કરી બિહારમાં બનેલી આ ઘટનાનો વિડિયો થયો વાઇરલ

લોકો પાઇલટોએ પુલ પર ખરાબ થયેલી ટ્રેનને જીવ જોખમમાં મૂકીને રિપેર કરી બિહારમાં બનેલી આ ઘટનાનો વિડિયો થયો વાઇરલ

Published : 24 June, 2024 07:18 AM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકો એન્જિનના અનલોડર વાલ્વથી ઍર-પ્રેશર લીક થવા લાગ્યું હતું જેથી ટ્રેન અટકી પડી હતી.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ


બિહારના સમસ્તીપુરમાં નરકટિયાગંજથી ગોરખપુર જઈ રહેલી ટ્રેન વાલ્મીકિનગર અને પનિયહવા સ્ટેશનો વચ્ચે એક પુલ પર અચાનક અટકી પડી ત્યારે લોકો પાઇલટ અજય કુમાર યાદવ અને સહાયક લોકો પાઇલટ રંજિત કુમારે પોતાનો જીવ જોખમમાં મૂકીને ટ્રેન રિપેર કરી હતી. આ ઘટનાની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે. બન્ને પાઇલટોને રેલવે પ્રશાસને ૧૦,૦૦૦ રૂપિયાના રોકડ પુરસ્કાર અને બહાદુરીભર્યા કામ માટે સર્ટિફિકેટ આપવાની જાહેરાત કરી છે.

આ ટ્રેન પુલ ક્રમાંક ૩૮૨ પરથી પસાર થતી હતી ત્યારે અચાનક લોકો એન્જિનના અનલોડર વાલ્વથી ઍર-પ્રેશર લીક થવા લાગ્યું હતું જેથી ટ્રેન અટકી પડી હતી. જ્યાંથી લીકેજ થતું હતું ત્યાં સુધી પહોંચવા માટે કોઈ રસ્તો નહોતો એટલે એક જણ પાટા પર સરકીને અને બીજો પુલ પર લટકીને વાલ્વ જ્યાં હતો ત્યાં પહોંચ્યા હતા અને વાલ્વ રિપેર કર્યો હતો. લોકોએ આ બહાદુરીભર્યા કામની તસવીરો અને વિડિયો લીધાં હતાં જે વાઇરલ થયાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2024 07:18 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK