Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લવ જેહાદ સામે યોગી સરકાર આકરી થઈ

લવ જેહાદ સામે યોગી સરકાર આકરી થઈ

Published : 31 July, 2024 02:43 PM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશમાં હવે આવા કેસમાં આજીવન કારાવાસની સજા થશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે લવ જેહાદ રોકવા માટેના કાયદા વધારે કડક બનાવવા માટે સોમવારે વિધાનસભામાં રજૂ કરેલા ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઑફ અનલૉફુલ કન્વર્ઝન ઑફ રિલિજન (અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૪ને ગઈ કાલે મંજૂર કરવામાં આવ્યું હતું. આ બિલમાં લવ જેહાદના દોષીઓને આજીવન કારાવાસ જેવી સખત સજા કરવાની જોગવાઈ સામેલ કરાઈ છે. 
આ સુધારાને ભારતીય જનતા પાર્ટી (BJP)એ આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે આ યોગ્ય દિશામાં મહત્ત્વનું કદમ છે. જોકે સમાજવાદી પાર્ટીએ આ પગલાને વિભાજનકારી ગણાવીને એનાથી સમાજમાં દ્વેષ પેદા થશે એમ જણાવ્યું હતું.

વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે આ બિલ રજૂ થયું હતું. એમાં કોઈ વ્યક્તિ ધર્માંતરણ કરવાના ખરાબ ઉદ્દેશથી કોઈ વ્યક્તિને તેના જીવન માટે અથવા સંપત્તિ માટે ધમકાવે છે, હુમલો કરે છે, લગ્ન કરવાનો વાયદો આપે છે અથવા લગ્ન કરે છે, અથવા લગ્ન રચવાનું ષડ્યંત્ર કરે છે, સગીર, મહિલા કે કોઈ વ્યક્તિનું અપહરણ કરે છે તો આ ગુનાને ગંભીર ગુનાની શ્રેણીમાં રાખવામાં આવશે. આવા કેસમાં હવે પીડિતના પરિવારની કોઈ પણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકશે.



નવા કાયદાની જોગવાઈમાં બળજબરી કે છળકપટપૂર્વક રીતે કરવામાં આવતા ધર્માંતરણ માટે પણ સખત સજાની જોગવાઈ કરવામાં આવી છે. કોઈ પણ મહિલાને પોતાની જાળમાં ફસાવીને તેનું ધર્માંતરણ કરવાની ઘટના એટલે કે લવ જેહાદમાં દોષીઓને પહેલી વાર આજીવન કારાવાસની સજા કરવાની એમાં જોગવાઈ સામેલ કરાઈ છે. અત્યાર સુધી આવા કેસમાં એકથી દસ વર્ષની સજા અને પચાસ હજાર રૂપિયાનો દંડ થતો હતો.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2024 02:43 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK