Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જોશીમઠની સમસ્યાની ૨૨મી એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા પર અસર નહીં થાય, રાજ્ય સરકારનો દાવો

જોશીમઠની સમસ્યાની ૨૨મી એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા પર અસર નહીં થાય, રાજ્ય સરકારનો દાવો

29 January, 2023 09:38 AM IST | Joshimath
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષે બદરીનાથના પ્રવેશદ્વાર જોશીમઠમાં ભૂસ્ખલન અને જમીન ધસી પડવાના કારણે સંકટ સરજાયું છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


દેહરાદૂન : છ મહિનાના બ્રેક બાદ આ વર્ષ માટેની ચારધામ યાત્રાની શરૂઆત બાવીસમી એપ્રિલથી થશે. ૨૭ એપ્રિલે સવારે ૭.૧૦ વાગ્યે બદરીનાથ ધામના કપાટ ખૂલશે. આ વર્ષે બદરીનાથના પ્રવેશદ્વાર જોશીમઠમાં ભૂસ્ખલન અને જમીન ધસી પડવાના કારણે સંકટ સરજાયું છે. અનેક મકાનો અને હોટેલોમાં જ નહીં, પરંતુ રસ્તાઓ પર પણ તિરાડ પડી છે. જોકે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે જોશીમઠની સમસ્યાની આ યાત્રાની તૈયારીઓ પર કોઈ અસર નહીં થાય. હેલંગ બાયપાસ રોડ બદરીનાથ જવા માટે વૈકલ્પિક રૂટ બની શક્યો હોત. જોકે જોશીમઠના સ્થાનિક લોકોના વિરોધ અને એક્સપર્ટ્સની સલાહને ધ્યાનમાં રાખીને આ રોડ માટેનું કામકાજ અટકી ગયું છે.


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2023 09:38 AM IST | Joshimath | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK