° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


પાકિસ્તાનની અવળચંડાઈનો આખરે ભારતે આપ્યો જવાબ

28 January, 2023 11:09 AM IST | Lahore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતે સિંધુ જળ કરારમાં સુધારા કરવા માટે પાકિસ્તાનને નોટિસ મોકલી, પાકિસ્તાન આ કરારનો ભંગ કરી રહ્યું હોવાનો આરોપ

પાકિસ્તાનની અવળચંડાઈનો આખરે ભારતે આપ્યો જવાબ

પાકિસ્તાનની અવળચંડાઈનો આખરે ભારતે આપ્યો જવાબ

નવી દિલ્હી ઃ ભારત સરકારે સપ્ટેમ્બર ૧૯૬૦ના સિંધુ જળ કરારમાં સુધારા કરવા માટે પાકિસ્તાનને નોટિસ મોકલી છે. ભારત સરકારે જણાવ્યું છે કે પાકિસ્તાનની ખોટી કામગીરીના કારણે સિંધુ જળ કરારના અમલ પર વિપરીત અસર થઈ છે.  
વાસ્તવમાં આ નોટિસ મોકલવાનું કારણ એ છે કે પાકિસ્તાન ભારતમાં કિશનગંગા અને રાતલે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સના સંબંધમાં સતત વાંધા ઉઠાવ્યા કરે છે. પાકિસ્તાન ૨૦૧૫થી આ પ્રોજેક્ટ્સની સામે એના ટેક્નિકલ વાંધાઓની તપાસ માટે એક તટસ્થ એક્સપર્ટની નિમણૂક માટે માગણી કરી રહ્યું હતું. જોકે ૨૦૧૬માં પાકિસ્તાને એની માગ બદલી અને કોર્ટ ઑફ આર્બિટ્રેશન દ્વારા એના વાંધાની ચકાસણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જવાબમાં ભારતે તટસ્થ એક્સપર્ટની નિમણૂકની માગણી કરી. ભારતનો આરોપ છે કે તટસ્થ એક્સપર્ટના બદલે કોર્ટ ઑફ આર્બિટ્રેશનની એકતરફી માગ કરીને પાકિસ્તાને સિંધુ જળ કરારનો ભંગ કર્યો છે.
ભારતે સિંધુ જળ માટેના 
કમિશનરો મારફત પાકિસ્તાનને નોટિસ મોકલી છે. ભારતના પ્રયાસો છતાં પણ છેલ્લાં પાંચ વર્ષથી પાકિસ્તાને ભારતના કિશનગંગા અને રાતલે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સના મુદ્દાઓના સમાધાન લાવવા અને એના પર ચર્ચા કરવાની ના પાડતાં આ નોટિસ મોકલાઈ છે. ભારતે ૨૫ જાન્યુઆરીએ પાકિસ્તાનને નોટિસ મોકલી હતી.
સૂત્રોએ જણાવ્યું છે કે ‘ભારત હંમેશાંથી સિંધુ જળ કરારના અમલમાં જવાબદાર ભાગીદાર છે. ભારત એનો સંપૂર્ણપણે અમલ કરી રહ્યું છે. જોકે પાકિસ્તાનની કામગીરીની સિંધુ જળ કરારની જોગવાઈઓ અને એના અમલ પર પ્રતિકૂળ અસર થઈ રહી છે.’

28 January, 2023 11:09 AM IST | Lahore | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

કોવિડ સામે લડવા માટે અપનાવો આ નીતિ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની રાજ્યોને સલાહ

દેશમાં વેક્સિનના કુલ 220.65 કરોડથી વધારે ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે. હૉસ્પિટલમાં દાખલ થનારા લોકમાં વધારાના કોઈ પુરાવા મળ્યા નથી. સાવચેતીના પગલાં રૂપે ડૉઝ વધારવા જોઈએ.

23 March, 2023 09:24 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

છંટણીને લઈને 1400 કર્મચારીઓએ લખ્યા પત્ર, Google CEOને કરી માગ

Google પેરેન્ટ અલ્ફાબેટ ઈન્કના લગભગ 1400 કર્મચારીઓને છટણી પ્રોસેસ દરમિયાન કર્મચારીઓને બહેતર ટ્રીટમેન્ટ માટે Googleના સીઈઓને એક લેટર લખી કરી આ માગ રજૂ કરી છે.

23 March, 2023 04:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

દિલ્હીમાં હવે કેજરીવાલ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર, ન કરવામાં આવે ધરપકડ- CM

આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટર લગાડવાના જવાબમાં ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસાએ આજે ગુરુવારે મંડી હાઉસમાં દિવાલ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ વિવાદિત પોસ્ટર મૂક્યા છે.

23 March, 2023 02:59 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK