Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Hyderabad Fire: સિંકદરાબાદમાં બહુમાળી કોમ્પ્લેક્સમાં ભભૂકી આગ, 6 લોકો બન્યા ઘટનાનો ભોગ

Hyderabad Fire: સિંકદરાબાદમાં બહુમાળી કોમ્પ્લેક્સમાં ભભૂકી આગ, 6 લોકો બન્યા ઘટનાનો ભોગ

Published : 17 March, 2023 09:19 AM | Modified : 17 March, 2023 09:32 AM | IST | Hyderabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હૈદરાબાદ (Hyderabad)ના સિકંદરાબાદમાં બહુમાળી કમર્શિયલ કોમ્પ્લેક્સ (Secunderabad Fire)માં આગ લાગી હતી. આ ઘટનાનાં 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થયા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તેલંગાણા(Telangana)ની રાજધાની હૈદરાબાદ (Hyderabad)ના સિકંદરાબાદમાં બહુમાળી કમર્શિયલ કોમ્પ્લેક્સ (Secunderabad Fire)માં આગ લાગી હતી. આ ઘટનાનાં 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થયા છે. ઘટનાની જાણકારી આપતાં પોલીસ અધિકારી કહ્યું કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે. તેમણે વધુમાં કહ્યું કે તપાસ બાદ જ મોત પાછળનું કારણ જાણી શકાશે. જોકે. ગૂંગળામણને કારણે મોત થયા હોવાની વધુ સંભાવના છે. 

અધિકારીએ જણાવ્યું કે 12 લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમાંથી છ લોકો એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા, બાકીની સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે પીડિતો તેલંગાણાના વારંગલ અને ખમ્મમ જિલ્લાના રહેવાસી છે. તે એક માર્કેટિંગ કંપનીમાં નોકરી કરતો હતો જેની ઓફિસ બહુમાળી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં હતી. ફાયર ફાઈટરોએ સાત લોકોને સુરક્ષિત બચાવી લીધા છે.



આ પણ વાંચો: રાહુલ ગાંધીને કોન્ફરન્સ દરમિયાન પીઢ નેતાએ કાનમાં કહ્યું આવું ન બોલો મજાક બનશે


પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ બહુમાળી બિલ્ડીંગમાં સાંજે 7.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી, જેમાં અનેક ઓફિસો છે. આ પછી આગ પર કાબૂ મેળવવા માટે 14 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બીજી તરફ રેસ્ક્યુ ઓપરેશન પર નજર રાખતા અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, મધરાત સુધી ઈમારતમાંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો અને તેના કારણે આગને કાબૂમાં લેવાનું ઘણું મુશ્કેલ બની ગયું હતું. તેમણે કહ્યું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ બચાવકર્મીઓએ અંદર ફસાયેલા કોઈપણની શોધ કરી હતી. અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ આગનું કારણ હોવાનું સૂચન કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2023 09:32 AM IST | Hyderabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK