Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વારાણસીના ૩૫ ઘાટ પાણીમાં ડૂબ્યા, આરતીનું સ્થળ બદલવું પડ્યું

વારાણસીના ૩૫ ઘાટ પાણીમાં ડૂબ્યા, આરતીનું સ્થળ બદલવું પડ્યું

Published : 10 July, 2025 10:40 AM | IST | Varanasi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર શબદહનનું સ્થળ પણ બદલવું પડ્યું

ગઈ કાલે વારાણસીમાં ગંગાનું સ્તર ખૂબ વધી જતાં પોતાનો સામાન શિફ્ટ કરતા લોકો.

ગઈ કાલે વારાણસીમાં ગંગાનું સ્તર ખૂબ વધી જતાં પોતાનો સામાન શિફ્ટ કરતા લોકો.


વારાણસીમાં ગંગા નદીનું જળસ્તર વધતાં મંગળવારથી જ ૩૫ ઘાટોનો સંપર્ક તૂટી ગયો હતો. ગઈ કાલ સાંજ સુધી વરસાદ ચાલુ જ હોવાથી દર કલાકે જળસ્તરમાં બે સેન્ટિમીટરનો સતત વધારો થતો રહ્યો છે. એને કારણે આ વર્ષે પહેલી વાર દશાશ્વમેધ ઘાટ પર ગંગાઆરતીનું સ્થળ ૧૦ ફુટ પાછળ ખસેડવું પડ્યું હતું. એટલું જ નહીં, જે ઘાટો અવિરત શબદાહ માટે પ્રસિદ્ધ છે એવા મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર શબદહનની જગ્યા પણ બદલવી પડી હતી.


જળસ્તર વધી રહ્યું હોવા છતાં સેંકડો શ્રદ્ધાળુઓ દૈનિક સંધ્યા આરતીમાં સામેલ થયા હતા.



અયોધ્યામાં પણ રામપથ સુધી પાણી ભરાઈ ગયાં 
બુધવારે વહેલી સવારથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં અયોધ્યામાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. રામપથ પર પણ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હોવાથી વાહનો અટવાઈ ગયાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2025 10:40 AM IST | Varanasi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK