Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પંજાબની જેલમાં લડાઈ, બે ગૅન્ગસ્ટર્સ માર્યા ગયા

પંજાબની જેલમાં લડાઈ, બે ગૅન્ગસ્ટર્સ માર્યા ગયા

27 February, 2023 08:50 AM IST | Punjab
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિંગર સિધુ મૂસેવાલા મર્ડર કેસ સંબંધમાં ધરપકડ કરાયેલા અને પંજાબના તરન તારન જિલ્લાની સેન્ટ્રલ જેલમાં કેદ બે ગૅન્ગસ્ટર્સ ગઈ કાલે કેદીઓ વચ્ચેની અથડામણમાં માર્યા ગયા હતા.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


અમ્રિતસર (પી.ટી.આઇ.) ઃ સિંગર સિધુ મૂસેવાલા મર્ડર કેસ સંબંધમાં ધરપકડ કરાયેલા અને પંજાબના તરન તારન જિલ્લાની સેન્ટ્રલ જેલમાં કેદ બે ગૅન્ગસ્ટર્સ ગઈ કાલે કેદીઓ વચ્ચેની અથડામણમાં માર્યા ગયા હતા. સિનિયર પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ગુરમીત સિંહ ચૌહાણે કહ્યું હતું કે આ બે ગૅન્ગસ્ટર્સની વિરુદ્ધ અન્ય કેટલાક આરોપો પણ મૂકવામાં આવ્યા હતા. આ લડાઈમાં એક કેદી ઇન્જર્ડ થયો છે. આ ત્રણેય ગૅન્ગસ્ટર્સ એક જ ગ્રુપના હતા. સિધુ મૂસેવાલા તરીકે જાણીતા શુભદીપ સિંહ સિધુની ૨૯ મેએ માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 
મૃત્યુ પામનારા ગૅન્ગસ્ટર્સની મનદીપ સિંહ અને મનમોહન સિંહ તરીકે ઓળખ કરવામાં આવી છે. આ હાઈ સિક્યૉરિટી જેલમાં લડાઈ દરમ્યાન જમવાનાં વાસણો અને લોખંડના સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2023 08:50 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK