Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > POK : જાતે જ ભારતમાં થઈ જશે સામેલ, રાહ જુઓ- આમ બોલ્યા પૂર્વ સેના પ્રમુખ VK સિંહ?

POK : જાતે જ ભારતમાં થઈ જશે સામેલ, રાહ જુઓ- આમ બોલ્યા પૂર્વ સેના પ્રમુખ VK સિંહ?

12 September, 2023 08:01 PM IST | Rajasthan
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

POK in India Soon: પૂર્વ સેના પ્રમુખ જનરલ વીકે સિંહે (રિટાયર્ડ) કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ટૂંક સમયમાં જ ભારતમાં સમાઈ જશે. આ માટે થોડી રાહ જોવાની છે.

General VK Singh on POK: કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેના પ્રમુખ જનરલ વીકે સિંહે (રિટાયર્ડ) કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) જાતે જ ભારતમાં સામેલ થઈ જશે.

General VK Singh on POK: કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેના પ્રમુખ જનરલ વીકે સિંહે (રિટાયર્ડ) કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) જાતે જ ભારતમાં સામેલ થઈ જશે.


POK in India Soon: પૂર્વ સેના પ્રમુખ જનરલ વીકે સિંહે (રિટાયર્ડ) કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ટૂંક સમયમાં જ ભારતમાં સમાઈ જશે. આ માટે થોડી રાહ જોવાની છે.

General VK Singh on POK: કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેના પ્રમુખ જનરલ વીકે સિંહે (રિટાયર્ડ) કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) જાતે જ ભારતમાં સામેલ થઈ જશે. આ માટે તમારે માત્ર થોડી રાહ જોવાની જરૂર છે. હકીકતે, રાજસ્થાનમાં એક કાર્યક્રમ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પીઓકેમાં લોકો ભારત સાથે વિલયની માગ કરી રહ્યા છે. આ મુદ્દે બીજેપીનું શું વલણ છે. આ પ્રશ્નના જવાબમાં તેમણે પીઓકેના ભારતમાં વિલયની વાત કહી હતી.


જનરલ વીકે સિંહ બીજેપીના પરિવર્તન સંકલ્પ યાત્રા માટે રાજસ્થાન પહોંચ્યા છે. રાજસ્થાનના દૌસામાં પ્રેસ કૉન્ફ્રેન્સમાં બીજેપી સાંસદ અને પૂર્વ સેના પ્રમુખ જનરલ વીકે સિંહને પૂછવામાં આવ્યું કે પીઓકેના શિયા મુસ્લિમ ભારત સાથે સીમા ઓપન કરી દેવાની વાત કરી રહ્યા છે. આ મામલે તમે શું કહેવા માગશો? આ પ્રશ્નના જવાબમાં પૂર્વ સેના પ્રમુખે કહ્યું, "પીઓકેનું આપમેળે જ ભારતમાં વિલય થઈ જશે. તમે બધા થોડી રાહ જુઓ." જણાવવાનું કે આ વર્ષે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પણ થવાની છે.


જી20 દ્વારા ભારતે પોતાની વાત મનાવી: જનરલ વીકે સિંહ
કેન્દ્રીય મંત્રીએ તાજેતરમાં જ ભારતની અધ્યક્ષતામાં થયેલ જી20 શિખર સમ્મેલનને લઈને પણ વાત કરી. તેમણે કહ્યું કે જે રીતે ભારતમાં જી20નું સફળ આયોજન થયું છે, તેણે વૈશ્વિક મંચ પર ભારતની એક આગવી ઓળખ બનાવી છે. ભારતે વિશ્વમાં પોતાની વાત લોકો સુધી એ રીતે પહોંચાડી છે કે તેમને એ સ્વીકારવું પડ્યું છે. બીજેપી સાંસદે કહ્યું કે જી20 જેવું આયોજન પહેલા થયું નહોતું અને કોઈ દેશે આ વિચાર્યું પણ નહીં હોય કે ભારત આવા સમ્મેલનનું આયોજન કરી શકે છે. 

પીઓકેમાં પાકિસ્તાન વિરુદ્ધ થયા લોકો
કાશ્મીરી કાર્યકર્તા શબ્બીર ચૌધરી દ્વારા શૅર કરવામાં આવેલા વીડિયો પ્રમાણે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હાલ પાકિસ્તાન વિરોધી પ્રદર્શનો પૂરજોશમાં થઈ રહ્યા છે. PoKના શહેરો, નગરો અને ગામડાઓના રહેવાસીઓ ખાદ્યપદાર્થોની અછત, આસમાની મોંઘવારી અને ઊંચા કરવેરાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના કાર્યકર્તા શબ્બીર ચૌધરીએ સામાન્ય લોકોની ચિંતા વધારી છે. તેમણે સમગ્ર વિસ્તારમાં થઈ રહેલા ભારે વિરોધ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે.


પ્રિયંકા ગાંધી બાલિશ છેઃ વીકે સિંહ
પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકારના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ અને યુવાનો અને ખેડૂતોને આપેલા વચનોથી રાજસ્થાનના લોકો સંપૂર્ણપણે પરેશાન છે. આથી ભાજપે લોકોની વચ્ચે જઈને તેમને સાંભળવા માટે પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢવી પડી છે. આ યાત્રામાં જનતા પૂરો સાથ આપી રહી છે.

12 September, 2023 08:01 PM IST | Rajasthan | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK