Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોનું ડીએ ચાર ટકા વધ્યું

કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોનું ડીએ ચાર ટકા વધ્યું

Published : 25 March, 2023 01:04 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્મચારીઓને મોંઘવારીભથ્થું અને પેન્શનર્સને મોંઘવારીરાહતના વધારાના ઇન્સ્ટૉલમેન્ટની રિલીઝ પહેલી જાન્યુઆરી, ૨૦૨૩ની પાછલી અસરથી લાગુ પડશે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


કેન્દ્રીય કૅબિનેટે ગઈ કાલે કેન્દ્ર સરકારના ૪૭.૫૮ લાખ કર્મચારીઓ અને ૬૯.૭૯ લાખ પેન્શનરો માટે મોંઘવારીભથ્થું અને મોંઘવારીરાહત ચાર ટકાથી વધારીને ૪૨ ટકા કરી છે. માહિતી અને પ્રસારણપ્રધાન અનુરાગ ઠાકુરે આર્થિક બાબતોની કૅબિનેટ કમિટીની મીટિંગ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મોંઘવારીભથ્થા અને મોંઘવારીરાહત બન્નેમાં વધારાથી સરકારી તિજોરી પર દર વર્ષે ૧૨,૮૧૫.૬૦ કરોડ રૂપિયાનો બોજો આવશે. કર્મચારીઓને મોંઘવારીભથ્થું અને પેન્શનર્સને મોંઘવારીરાહતના વધારાના ઇન્સ્ટૉલમેન્ટની રિલીઝ પહેલી જાન્યુઆરી, ૨૦૨૩ની પાછલી અસરથી લાગુ પડશે. મોંઘવારીભથ્થા અને મોંઘવારીરાહતમાં કરવામાં આવેલો આ વધારો સ્વીકાર્ય ફૉર્મ્યુલાને અનુરૂપ છે જે સાતમા કેન્દ્રીય પગારપંચની ભલામણો પર આધારિત છે. મોંઘવારીભથ્થા અને મોંઘવારીરાહતના મામલે સરકારના નિર્ણયની ઘણા સમયથી રાહ જોવાતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2023 01:04 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK