Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > BJPએ લોકસભામાં અયોધ્યાના સમાવેશવાળી બેઠકની હારનો બદલો મિલ્કીપુર વિધાનસભા જીતીને લીધો

BJPએ લોકસભામાં અયોધ્યાના સમાવેશવાળી બેઠકની હારનો બદલો મિલ્કીપુર વિધાનસભા જીતીને લીધો

Published : 09 February, 2025 12:57 PM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિલ્કીપુરના સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અવધેશ પ્રસાદ લોકસભાની ચૂંટણીમાં વિજયી થયા હતા એટલે ખાલી પડેલી આ બેઠકમાં પેટાચૂંટણી હાથ ધરવામાં આવી હતી.

અવધેશ પ્રસાદ

અવધેશ પ્રસાદ


અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનાવ્યું હોવા છતાં આ ધર્મનગરીનો સમાવેશ થાય છે એ ફૈઝાબાદ લોકસભાની બેઠકમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નો ગયા વર્ષે યોજાયેલી ચૂંટણીમાં કારમો પરાજય થયો હતો. મિલ્કીપુરના સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અવધેશ પ્રસાદ લોકસભાની ચૂંટણીમાં વિજયી થયા હતા એટલે ખાલી પડેલી આ બેઠકમાં પેટાચૂંટણી હાથ ધરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં અવધેશ પ્રસાદના પુત્ર અજિત પ્રસાદ અને BJPના ચંદ્રભાનુ પાસવાન વચ્ચે સીધો મુકાબલો હતો. BJP અને સમાજવાદી પાર્ટીએ ચૂંટણીમાં પૂરી તાકાત લગાવી દીધી હતી, જેમાં BJPના ચંદ્રભાનુ પાસવાને ૬૧ હજારથી વધુ મતથી અજિત પ્રસાદને હરાવ્યા છે. આ સાથે જ લોકસભાની ચૂંટણીમાં ફૈઝાબાદમાં થયેલા પરાજયનો બદલો BJPએ મિલ્કીપુરમાં વિજય મેળવીને લીધો છે.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2025 12:57 PM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK