Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ ગાંધીએ કર્ણાટકની જનતાનું કર્યું અપમાન, ઐશ્વર્યા વિરુદ્ધ આપેલા નિવેદનથી ભડકી બીજેપી

રાહુલ ગાંધીએ કર્ણાટકની જનતાનું કર્યું અપમાન, ઐશ્વર્યા વિરુદ્ધ આપેલા નિવેદનથી ભડકી બીજેપી

22 February, 2024 02:46 PM IST | Bengaluru
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (BJP on Rahul Gandhi) હવે બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન વિરુદ્ધ આપેલા નિવેદનોને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP on Rahul Gandhi)ના આકરા પ્રહારો સામે આવ્યા છે

રાહુલ ગાંધીનિ ફાઇલ તસવીર

રાહુલ ગાંધીનિ ફાઇલ તસવીર


કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (BJP on Rahul Gandhi) હવે બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન વિરુદ્ધ આપેલા નિવેદનોને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP on Rahul Gandhi)ના આકરા પ્રહારો સામે આવ્યા છે. ભાજપ તેને કર્ણાટકની જનતાનું અપમાન ગણાવી રહ્યું છે. આ ઉપરાંત પાર્ટી આ મામલે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના મૌન પર પણ સવાલ ઉઠાવી રહી છે. રાહુલે રામ મંદિર અભિષેક સમારોહમાં ઐશ્વર્યાની હાજરીનો ઉલ્લેખ કર્યો હતો. જો કે અભિનેત્રી અયોધ્યામાં યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહી ન હતી.


કર્ણાટક બીજેપી (BJP on Rahul Gandhi)એ કહ્યું કે, “ભારતના લોકો દ્વારા વારંવાર અસ્વીકાર કરવાથી નારાજ રાહુલ ગાંધી ભારતનું ગૌરવ ઐશ્વર્યા રાયને નીચ કરવાના સ્તરે આવી ગયા છે. કોઈ પણ સિદ્ધિ વિનાની ચોથી પેઢીના વંશજો હવે સમગ્ર ગાંધી પરિવાર કરતાં ભારતને વધુ ગૌરવ અપાવનાર ઐશ્વર્યા રાય વિરુદ્ધ બોલવા લાગ્યા છે.”



ભાજપે કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાને પણ સવાલ કર્યા છે અને પૂછ્યું છે કે શું તેઓ આ અંગે કંઈ કહેશે. બીજેપીએ કહ્યું કે, “સિદ્ધારમૈયાજી, તમારા બોસ કન્નડ નાગરિકનું સતત અપમાન કરી રહ્યા છે, શું તમે કન્નડ ગૌરવ જાળવી રાખશો અને આવા અપમાન સામે કંઈક બોલશો કે પછી તમારી મુખ્યપ્રધાનની ખુરશી બચાવવા માટે ચૂપ રહેશો.”


મામલો શું હતો?

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની મુલાકાત દરમિયાન રાહુલે કહ્યું કે, “શું તમે રામ મંદિરમાં અભિષેક વિધિ જોઈ? શું ત્યાં એક પણ OBC ચહેરો હતો? અમિતાભ બચ્ચન હતા, ઐશ્વર્યા રાય હતા અને નરેન્દ્ર મોદી હતા. તેમણે કહ્યું કે, “દેશની 73 ટકા વસ્તી ધરાવતા લોકો કાર્યક્રમ દરમિયાન ક્યાંય જોવા મળ્યા ન હતા. ભાજપ ક્યારેય ઈચ્છશે નહીં કે તેઓ દેશની કમાન સંભાળે.”


કૉંગ્રેસે સમારોહના આમંત્રણને ફગાવ્યું

22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ફિલ્મ ઉદ્યોગ, વેપાર, રમતગમત સહિત અનેક ક્ષેત્રોની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માટે કૉંગ્રેસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ પાર્ટીએ તેને ફગાવી દીધું હતું. કૉંગ્રેસ ઉપરાંત, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કૉંગ્રેસ સહિત વિપક્ષી ગઠબંધન `ભારત`ના ઘણા મોટા પક્ષોએ આ કાર્યક્રમથી પોતાને દૂર રાખ્યા હતા.

`પ્રિયંકા ગાંધી ચૂપ કેમ છે?`

બીજેપીના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે, “તે (રાહુલ) ઐશ્વર્યા રાય બચ્ચન વિરુદ્ધ એવી ટિપ્પણી કરે છે, જેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. પ્રિયંકા કેમ ચૂપ છે? શું તે પણ શરમ અનુભવે છે? સમાજવાદી પાર્ટી પોતાના જ સાંસદના પરિવાર વિરુદ્ધ થઈ રહેલા નિવેદનો પર કેમ કંઈ બોલી રહી નથી? સપાએ જયા બચ્ચનને ફરી રાજ્યસભાની ટિકિટ આપી છે.”

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2024 02:46 PM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK