Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શું વાત કરો છો? : નાગરિકતાના પુરાવા તરીકે આધાર, PAN અને રૅશન કાર્ડ પૂરતાં નથી

શું વાત કરો છો? : નાગરિકતાના પુરાવા તરીકે આધાર, PAN અને રૅશન કાર્ડ પૂરતાં નથી

Published : 02 May, 2025 07:50 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ હેતુ માટે બર્થ-સર્ટિફિકેટ અને ડૉમિસાઇલ સર્ટિફિકેટ જ સરકાર દ્વારા માન્ય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તમારી પાસે આધાર કાર્ડ હોય, PAN કાર્ડ હોય અને રૅશન કાર્ડ હોય તો એ ભારતીય નાગરિકતાના પુરાવા માટે પૂરતાં નથી. આ હેતુ માટે બર્થ-સર્ટિફિકેટ અને ડૉમિસાઇલ સર્ટિફિકેટ જ સરકાર દ્વારા માન્ય છે. નાગરિકોએ નાગરિકતાની પુષ્ટિ માટેના આ દસ્તાવેજો મેળવી લેવા જરૂરી છે, કેમ કે ભવિષ્યમાં તેમને આ દસ્તાવેજોની જરૂર પડી શકે છે.


કેન્દ્ર સરકારે અનેક ગેરકાનૂની વિદેશી નાગરિકોને પકડવાના અભિયાનમાં આધાર, રૅશન અને PAN કાર્ડ તપાસ્યા પછી આ નિર્ણય લીધો છે. ભારતમાં આધાર કાર્ડ, PAN કાર્ડ અને રૅશન કાર્ડ જેવા અનેક ઓળખ-પ્રમાણના દસ્તાવેજો છે. જોકે આ દસ્તાવેજનો ઉપયોગ કોઈની નાગરિકતા સાબિત કરવા માટે નથી થઈ શકતો. યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) આધાર કાર્ડને ઓળખ અને રહેઠાણનું પ્રમાણ માને છે, પરંતુ નાગરિકતાનું પ્રમાણ નહીં. આ જ વાત PAN અને રૅશન કાર્ડને પણ લાગુ પડે છે. PAN કાર્ડ ટૅક્સેશનને લગતા હેતુ માટે કામ આવે છે, જ્યારે રૅશન કાર્ડ ખાદ્ય વિતરણ માટે. એટલે જ સરકાર જન્મના પ્રમાણપત્રને અને ડૉમિસાઇલ સર્ટિફિકેટને ભારતીય નાગરિકતા માટેના મૂળ દસ્તાવેજ માને છે. 


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2025 07:50 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK