Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેરલાના તળાવમાં તરતી ૧૦ બોટમાં મધરાતે લાગી ભીષણ આગ

કેરલાના તળાવમાં તરતી ૧૦ બોટમાં મધરાતે લાગી ભીષણ આગ

Published : 08 December, 2025 09:04 AM | IST | Kerala
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભીષણ આગમાં દસથી વધુ માછીમારી બોટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી

દુર્ઘટના

દુર્ઘટના


કેરલાના કોલ્લમના અષ્ટમુડી તળાવમાં ગઈ કાલે વહેલી સવારે એક મોટી દુર્ઘટનામાં ઍન્કરેજમાં લાગેલી ભીષણ આગમાં દસથી વધુ માછીમારી બોટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. કુરીપુઝા ચર્ચ નજીક અય્યાનકોવિલ મંદિર પાસે મધરાત્રે લગભગ ૨.૩૦ વાગ્યે આગ લાગી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. આગનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ નથી.

પ્રારંભિક અહેવાલો અને સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર એક બોટ પર ગૅસ-સિલિન્ડર ફાટવાથી આગ લાગી હતી. આગ બાદ તરત જ બોટ પરનાં અન્ય ગૅસ-સિલિન્ડરો ફાટ્યાં હતાં જેનાથી આગ વધુ તીવ્ર બની હતી. સ્થાનિક લોકોએ રાત્રે ૧.૩૦ વાગ્યાની આસપાસ આગ જોઈ હતી. આગને વધુ ફેલાતી અટકાવવા માટે લોકોએ બોટ ખોલીને એમને તળાવમાં ધકેલી દીધી હતી. આ આગમાં કુલ ૯ બોટ અને એક ફાઇબર બોટ સંપૂર્ણપણે નાશ પામી હતી, જ્યારે કેટલીક અન્ય બોટ પણ ડૂબી ગઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2025 09:04 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK