Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દહાણુ અને વાણગાંવ વચ્ચે ચાર દિવસનો સ્પેશ્યલ બ્લૉક

દહાણુ અને વાણગાંવ વચ્ચે ચાર દિવસનો સ્પેશ્યલ બ્લૉક

09 January, 2023 11:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રેલવે દ્વારા રોજ સવારના એક કલાકનો બ્લૉક લેવાશે 

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


વેસ્ટર્ન રેલવેમાં દહાણુ અને વાણગાંવ વચ્ચે  ફક્ત ગુડ્સ ટ્રેન માટેની લાઇન નાખવા સંદર્ભે પાંચ દિવસનો રોજ એક કલાક બ્લૉક લેવામાં આવ્યો છે અને એ ગઈ કાલથી ચાલુ થઈ ગયો છે. ૮, ૯, ૧૧, ૧૨ અને ૧૩ જાન્યુઆરીએ સવારના આ બ્લૉક રાખવામાં આવ્યો છે. ૯, ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ સવારના ૯.૪૫ વાગ્યા દરમિયાન આ બ્લૉક રહેશે, જ્યારે ૧૩ જાન્યુઆરીએ એ ૧૦.૨૦થી ૧૧.૨૦ વાગ્યા દરમિયાન રહેશે. આ બ્લૉકને કારણે એ સમયે ત્યાંથી પસાર થનારી ટ્રેનો મોડી પડશે અને એની અસર બાકીની ટ્રેનો પર પણ પડશે. એથી એ દિવસો દરમિયાન જો પ્રવાસ કરવાના હો તો મોડું થવાની આગોતરી તૈયારી રાખજો. એમાં પણ જો આગળ જઈને અન્ય ટ્રેન, બસ કે ફ્લાઇટના કનેક્શનમાં પ્રવાસ કરવાના હો તો તમારા ડેસ્ટિનેશન પર ટ્રેન ક્યારે પહોંચવાની છે એની આગોતરી જાણકારી મેળવી લેજો.  

૯, ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસને દહાણુ સ્ટેશન પર ૩૫ મિનિટ રોકવામાં આવશે. એ સિવાય અંધેરીથી દહાણુ માટે સવારના ૭.૫૧ વાગ્યે છૂટતી લોકલ વાણગાંવ પર જ ટર્મિનેટ કરી દેવાશે જે વળતી વખતે વાણગાંવથી ચર્ચગેટ જશે. ૯, ૧૧, ૧૨ અને ૧૩ જાન્યુઆરીએ ચર્ચગેટથી સવારના ૭.૪૨ વાગ્યે છૂટતી દહાણુ લોકલને પણ વાણગાંવ ખાતે જ ટર્મિનેટ કરી દેવાશે. એ ટ્રેન પાછા ફરતી વખતે વાણગાંવથી વિરાર દોડશે. ૧૩ જાન્યુઆરીએ ટ્રેન-નંબર ૨૦૪૮૩ ભગત કી કોઠી - દાદર સુપરફાસ્ટ ટ્રેનને દહાણુ સ્ટેશન પર ૪૦ મિનિટ રોકવામાં આવશે. એ સિવાય ૧૩ જાન્યુઆરીએ ચર્ચગેટથી ૮.૪૯ વાગ્યે દહાણુ માટે છૂટતી લોકલને વાણગાંવ ખાતે ૨૦ મિનિટ રોકવામાં આવશે.  


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2023 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK