Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં આતંકવાદીઓને મોકલનાર સામે કાર્યવાહી થવી જોઈએ: ઇઝરાયલના સ્પીકર

મુંબઈમાં આતંકવાદીઓને મોકલનાર સામે કાર્યવાહી થવી જોઈએ: ઇઝરાયલના સ્પીકર

05 April, 2023 11:08 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આતંકવાદી હુમલા દરમ્યાન પાકિસ્તાનના આતંકવાદીઓએ નરીમાન હાઉસમાં રહેતા રબ્બી ગેવ્રીલ હોલ્ટ્ઝબર્ગ અને તેમનાં પત્ની રિવકા હોલ્ટ્ઝબર્ગની હત્યા કરી હતી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ઝરાઇલની નેસેટ (સંસદ)ના સ્પીકર આમીર ઓહાનાએ કહ્યું હતું કે મુંબઈમાં ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે આતંકવાદી હુમલો કરવા માટે આતંકવાદીઓને મોકલનારા ગુનેગારોને પકડવા જોઈએ. નરીમાન પૉઇન્ટમાં આવેલા છાબડ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે આતંકવાદ ધર્મ અને જાતિ વચ્ચે ભેદ પાડતો નથી. ઓહાનાએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું હતું કે અમે હજી સુધી આ ઘટનાની તપાસ પૂરી કરી નથી, કારણ કે આતંકવાદીઓને મોકલનારાઓ સામે ન્યાયિક કાર્યવાહી કરી નથી.

આતંકવાદી હુમલા દરમ્યાન પાકિસ્તાનના આતંકવાદીઓએ નરીમાન હાઉસમાં રહેતા રબ્બી ગેવ્રીલ હોલ્ટ્ઝબર્ગ અને તેમનાં પત્ની રિવકા હોલ્ટ્ઝબર્ગની હત્યા કરી હતી. તેમના બે વર્ષના દીકરાને ભારતીય આયા સૅન્ડ્રા સૅમ્યુઅલ દ્વારા બચાવવામાં આવ્યો હતો.  


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2023 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK