Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વૈતરણા પર બ્રિજનું કામ કરવા ગયેલા કામદારોની બોટે મારી પલટી, ૧૮ને બચાવી લેવાયા

વૈતરણા પર બ્રિજનું કામ કરવા ગયેલા કામદારોની બોટે મારી પલટી, ૧૮ને બચાવી લેવાયા

21 November, 2023 11:40 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોટ ગઈ કાલે સવારે ૬ વાગ્યે પલટી ખાઈ ગઈ હતી અને દુર્ઘટના સર્જાઈ હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વડોદરાથી નવી મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટ ટર્સ્ટને જોડતા એક્સપ્રેસવે અંતર્ગત પાલઘરમાં વૈતરણા નદી પર બ્રિજ બનાવવાનું કામ ચાલુ છે. એ માટે કંપનીની ટગબોટમાં બેસી એ સ્પૉટ પર પહોંચી રહેલા કામદારોની બોટ ગઈ કાલે સવારે ૬ વાગ્યે પલટી ખાઈ ગઈ હતી અને દુર્ઘટના સર્જાઈ હતી.  

ઘટનાની જાણ પોલીસ, ફાયર-બ્રિગેડ અને જિલ્લા પ્રશાસનને કરવામાં આવતાં ફાયર-બ્રિગેડના જવાનો, પોલીસ-અધિકારીઓ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. સ્થાનિક માછીમારોની મદદ લઈ ૧૮ જેટલા કામગારોને બચાવી લેવાયા હતા, જ્યારે બે કામગારોની શોધ ચલાવાઈ રહી હતી.  


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2023 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK