Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૯૯૩માં મુંબઈમાં થયેલા પહેલા સિરિયલ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ

૧૯૯૩માં મુંબઈમાં થયેલા પહેલા સિરિયલ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ

Published : 13 March, 2025 12:13 PM | Modified : 13 March, 2025 12:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈને હચમચાવી નાખનારા પહેલા સિરિયલ બ્લાસ્ટને ગઈ કાલે ૩૨ વર્ષ પૂરાં થયાં હતાં

તસવીરો- આશિષ રાજે

તસવીરો- આશિષ રાજે


મુંબઈને હચમચાવી નાખનારા પહેલા સિરિયલ બ્લાસ્ટને ગઈ કાલે ૩૨ વર્ષ પૂરાં થયાં હતાં. આ નિમિત્તે ગઈ કાલે સેન્ચુરી બજારમાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અયોધ્યામાં વિવાદિત ઢાંચાને ૧૯૯૨ની ૬ ડિસેમ્બરે તોડી પાડવામાં આવ્યો હતો એનો બદલો લેવા માટે ૧૯૯૩ની ૧૨ માર્ચે મુંબઈમાં હિન્દુ બહુમતીવાળાં ૧૨ સ્થળોએ બૉમ્બબ્લાસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ૨૫૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૪૦૦થી વધારે લોકો ઘાયલ થયા હતા.


મૉરિશ્યસના ગંગા તળાવમાં સંગમજળ અર્પણ કરીને આરતી કરી નરેન્દ્ર મોદીએ




ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મૉરિશ્યસના પોર્ટ લુઇમાં આવેલા ગંગા તળાવમાં પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાંથી લાવેલું જળ અર્પણ કર્યું હતું અને આરતી કરી હતી.


હૉર્નિમન સર્કલમાં બિલ્ડિંગનો હિસ્સો તૂટી પડ્યો

ફોર્ટમાં હૉર્નિમન સર્કલ પર આવેલા બોટાવાલા બિલ્ડિંગમાં સોમવારે તિરાડ પડ્યા બાદ બિલ્ડિંગનો એક હિસ્સો ગઈ કાલે તૂટી પડ્યો હતો. જોકે તિરાડ જોયા બાદ જોખમને ધ્યાનમાં રાખીને બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું એટલે કોઈને ઈજા નહોતી થઈ. તસવીર- સતેજ શિંદે

Whatsapp-channel Whatsapp-channel

13 March, 2025 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK