ભાઈંદરમાં મારવાડી પરિવારમાં બનેલી આ ઘટનામાં પોલીસને કોઈ સુસાઇડ-નોટ હાથ નથી લાગી
ભાઈંદરના આ મારવાડી દંપતીએ સાથે જીવ આપ્યો હતો.
ભાઈંદરમાં રહેતા મારવાડી દંપતીએ રૂંવાડાં ઊભાં થઈ જાય એ રીતે એક જ ઓઢણીનો ઉપયોગ કરીને એક જ પંખા પર લટકીને બુધવારે પોતાના જીવ ત્યજી દીધા હતા. નાની ઉંમરનાં બન્ને બાળકોને સંબંધીના ઘરે બાઇક પર છોડીને ઘરે આવીને બન્નેએ આ અંતિમ પગલું ભર્યું હતું. બન્નેએ ઘરના રસોડામાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. ગઈ કાલે બન્નેના મૃતદેહ રાજસ્થાનમાં તેમના વતન લઈ જવાયા હતા.