Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ પૂર્ણવિરામ નથી, અલ્પવિરામ છે

આ પૂર્ણવિરામ નથી, અલ્પવિરામ છે

Published : 21 December, 2020 08:28 AM | IST | Mumbai
Mumbai correspondent

આ પૂર્ણવિરામ નથી, અલ્પવિરામ છે

આ પૂર્ણવિરામ નથી, અલ્પવિરામ છે

આ પૂર્ણવિરામ નથી, અલ્પવિરામ છે


જૈનાચાર્ય વિજય શ્રી હંસરત્નસૂરિજીના ચોથી વારના વિશ્વવિક્રમી ૧૮૦ ઉપવાસનું ગઈ કાલે ગચ્છાધિપતિ શ્રી રાજેન્દ્રસૂરિજી, પદ્મભૂષણ આચાર્ય શ્રી રત્નસુંદરસૂરિજી સહિત સેંકડો સાધુ-સાધ્વીજી ભગવંતો તથા શ્રાવક-શ્રાવિકાની હાજરીમાં ભવ્ય રીતે પારણાંનું આયોજન પરિપૂર્ણ થયું. અકલ્પનીય એવા આ તપનું પારણું આચાર્યશ્રી હંસરત્નસૂરિજીએ આયંબિલના તપ દ્વારા કર્યું, એટલું જ નહીં પણ આ પારણું એ તપ પર ફુલસ્ટોપ નથી પરંતુ એક કૉમા છે એવી પણ તેમના મનની ભાવના સભામાં વ્યક્ત કરવામાં આવી. બોરીવલીના પ્રબોધન ઠાકરેમાં યોજાયેલા કાર્યક્રમમાં વાજતેગાજતે પાલખીમાં ગુરુદેવનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પદ્મભૂષણ આચાર્ય શ્રી રત્નસુંદરસૂરિજીએ કહ્યું હતું કે ‘આજનો દિવસ ઘણીબધી રીતે ઐતિહાસિક છે. લાખો જન્મોની સાધના પછી જ કોઈને આટલો શાંત અને સૌમ્ય સ્વભાવ મળી શકે એવા પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિશ્રી રાજેન્દ્રસૂરિ મહારાજના હાથે આ ઐતિહાસિક તપનું પારણું થઈ રહ્યું છે એ પણ વિરલ ઘટના જ છે. છ મહિના પછી પણ પારણું આયંબિલથી થઈ રહ્યું છે એ તપની અને તપસ્વીની નવી ઊંચાઈના દર્શન કરાવે છે. મને ખાતરી છે કે ૧૮૦ દિવસની જો મર્યાદા ન હોત તો આ તપસ્વી આજે પણ પારણું ન કરત. તપસ્વી શ્રી હંસરત્નસૂરિજી મ.સા.અે બિરાજમાન સૌ મહારાજસાહેબના આશિર્વાદ લીધા હતા.


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2020 08:28 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK