ઘટનાના થોડા કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
અંધેરીના સાકીનાકામાં બળાત્કારનો ભોગ બનેલી ૩૦ વર્ષીય મહિલાનું આજે એટલે કે શનિવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં સારવારના ત્રીજા દિવસે પીડિતાનું મોત થયું છે.
9 સપ્ટેમ્બરે સાકીનાકાના ખૈરાની રોડ પર મહિલાનો બળાત્કાર કરવામાં આવ્યો હતો અને એ ત્યાં બેભાન અવસ્થામાં મળી હતી. ત્યારબાદ તેને ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દુષ્કર્મ બાદ આરોપીએ પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખી દીધો હતો. પીડિતાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે જ તેની સ્થિતિ નાજુક હતી. તેના શરીરમાંથી ઘણું લોહી પણ વહી ગયું હતું. ઘટના મોડી રાત્રે ૨.૩૦થી ૩ વાગ્યાની વચ્ચે બની હતી. પીડિતાને ગંભીર સ્થિતિમાં ટેમ્પોમાં મૂકીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી ફુટેજને આધારે પોલીસે ઘટનાના થોડાક કલાકોમાં જ ૪૫ વર્ષીય આરોપી મોહન ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સામે IPCની કલમ ૩૦૭, ૩૭૬, ૩૨૩ અને ૫૦૪ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : Mumbai : સાકીનાકામાં ટેમ્પોની અંદર 34 વર્ષીય મહિલા પર બળાત્કાર અને ક્રૂરતાપૂર્વક હુમલો
આ રેપ કેસે દિલ્હિના નિર્ભયા રેપ કેસની યાદો તાજી કરી છે.