Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહાયુતિમાં બેઠકોની સમજૂતીને મરાઠા આંદોલન નડ્યું?

મહાયુતિમાં બેઠકોની સમજૂતીને મરાઠા આંદોલન નડ્યું?

30 March, 2024 08:28 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અજિત પવાર જૂથની NCPની વૉટબૅન્ક છે એવી બેઠકોનો નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ રહી હોવાની ચર્ચા

અજીત પવારની ફાઇલ તસવીર

અજીત પવારની ફાઇલ તસવીર


લોકસભાની ચૂંટણીની જાહેરાત થયાને ૧૫ દિવસ થઈ ગયા છે તો પણ હજી સુધી રાજ્યની સત્તાધારી મહાયુતિમાં બેઠકોની સમજૂતી કરવામાં નથી આવી. ભારતીય જનતા પાર્ટી (BJP) અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની મોટા ભાગની લોકસભાની બેઠકોનો નિર્ણય લેવાઈ ગયો છે અને તેમણે ઉમેદવારોનું લિસ્ટ જાહેર પણ કરી દીધું છે, પણ અજિત પવાર જૂથની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની બેઠકોનો મામલો હજી સુધી લટકેલો છે. NCPની વોટબૅન્ક મરાઠા છે અને તેમના કારણે જ બેઠકોની સમજૂતી કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું કહેવાય છે. મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણી કરવા માટેના આંદોલનને લીધે માહોલ હજી ગરમ છે ત્યારે NCP કે BJP કોઈ ચાન્સ લેવા ન માગતા હોવાનું જાણવા મળ્યું છે. બીજું, અજિત પવારે ૯ બેઠકની માગણી કરી છે, પણ તેમને ૬ બેઠક આપવાની તૈયારી BJPએ બતાવી છે. આમાંથી બારામતી, રાયગડ, શિરુર, પરભણી બેઠકોમાં સમજૂતી થઈ છે; પણ સાતારા અને ધારાશિવની બેઠકમાં BJP ઘડિયાળને બદલે કમળના સિમ્બૉલ પર ચૂંટણી યોજવા માગે છે એટલે પણ અંતિમ નિર્ણય લેવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2024 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK