પહેલા માળે રાજા રામના દરબારમાં માતા સીતા; ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન તથા હનુમાનની મૂર્તિઓ સ્થાપવામાં આવશે
અયોધ્યાના રામ મંદિરમાં ૨૩ મેએ થશે રાજા રામનો રાજ્યાભિષેક
અયોધ્યામાં રામજન્મભૂમિના સ્થળે ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ હવે મંદિરના પહેલા માળે ભવ્ય રામદરબારને ૨૩ મેએ ખુલ્લો મૂકવામાં આવશે. એ દિવસે રાજા રામનો રાજ્યાભિષેક કરવામાં આવશે.


