Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વાંધાજનક ટિપ્પણી મામલે AIMIM નેતાએ મુંબઈ પોલીસમાં કરી ફરિયાદ, FIRની અરજી

વાંધાજનક ટિપ્પણી મામલે AIMIM નેતાએ મુંબઈ પોલીસમાં કરી ફરિયાદ, FIRની અરજી

Published : 19 February, 2024 03:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Maharashtra News AIMIM નેતા અને પૂર્વ વિધેયક વારિસ પઠાન વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર વાંધાજનક પોસ્ટ કરવા મામલે મુંબઈ પોલીસને ફરિયાદ નોંધ કરાવવામાં આવી છે.

મુંબઈ પોલીસ (ફાઈલ તસવીર)

મુંબઈ પોલીસ (ફાઈલ તસવીર)


Maharashtra News AIMIM નેતા અને પૂર્વ વિધેયક વારિસ પઠાન વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર વાંધાજનક પોસ્ટ કરવા મામલે મુંબઈ પોલીસને ફરિયાદ નોંધ કરાવવામાં આવી છે. AIMIMની મુંબઈ મહિલા સેલનાં અધ્યક્ષા રિઝવાના ખાને પોલીસમાં અરજી આપતા FIR નોંધવાની માગ કરી રહી છે. તો પોલીસે કહ્યું કે તપાસ બાદ જરૂરી પગલા લેવામાં આવશે.


objectionable post on social media: ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ની મુંબઈ મહિલા સેલની અધ્યક્ષ રિઝવાના ખાને સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરનારા બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.



વારિસ પઠાણના વિરુદ્ધની વાંધાજનક ટિપ્પણી
AIMIM leader Waris Pathan: પોલીસ અધિકારી પ્રમાણે, AIMIMની મુંબઈ મહિલા સેલનાં અધ્યક્ષા રિઝવાના ખાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે બે લોકોએ તેમની પાર્ટીના નેતા અને પૂર્વ વિધેયક વારિસ પઠાણ વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમણે બન્ને લોકોના વિરુદ્ધ મુંબઈ પોલીસ પાસે કાર્યવાહીની માગ કરવામાં આવી છે. (objectionable post on social media)


રિઝવાના ખાને કરી FIR નોંધાવવાની કરી માગ
AIMIM leader Waris Pathan: રિઝવાના ખાને પોતાના નિવેદનમાં કહ્યું કે પોલીસને પીછો કરવા, યૌન ઉત્પીડન અને સાંપ્રદાયિક નિવેદન આપવા માટે બન્ને વિરુદ્ધ FIR નોંધવી જોઈએ. માલવાણી પોલીસ થાણાનાં અધિકારીએ કહ્યું કે રિઝવાના ખાનના નિવેદનની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર પડ્યે કેસ દાખલ કરવામાં આવશે.

નોંધનીય છે કે, મુંબઈને અડીને આવેલા મીરા રોડમાં ગયા મહિને થયેલી હિંસા બાદ પોલીસ ઢીલ રાખવાના મૂડમાં નથી. ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહની મુલાકાત રદ થયા બાદ હવે પોલીસે AIMIM ધારાસભ્ય વારિસ પઠાણને કલમ 149ની નોટિસ પણ મોકલી છે. નોટિસ આપવામાં આવતા, પઠાણે ગર્જના કરી કે તે પોલીસ કમિશનરને મળશે અને પૂછશે કે તેને શા માટે રોકવામાં આવી રહ્યો છે. તેલંગાણાના બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહે જાહેરાત કરી હતી કે તેઓ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિના અવસર પર મીરા રોડની મુલાકાત લેશે, જો સૂત્રોનું માનીએ તો, પોલીસે તેમની મુલાકાતની પરવાનગી આપી નથી. આ પછી ટી રાજા સિંહે પ્રવાસ કેન્સલ કર્યો હતો અને કહ્યું હતું કે હવે તેઓ 25 ફેબ્રુઆરીએ મીરા રોડ પહોંચશે. રાજા સિંહની મુલાકાત રદ થયા બાદ પોલીસે હવે પઠાણને મુલાકાત ન લેવા જણાવ્યું છે. પઠાણે મીરા રોડમાં બુલડોઝરની કાર્યવાહીમાં આજીવિકા ગુમાવનારા લોકોને મળવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે.


પઠાણે સવાલો ઉઠાવ્યા હતા
વારિસ પઠાણે મીરા રોડની મુલાકાત વખતે રોકવામાં આવતા પ્રશ્નો ઉઠાવ્યા છે. પઠાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે હવે આજે વરલી પોલીસ સ્ટેશન અને મીરા રોડ પોલીસ સ્ટેશને મને 149 નોટિસ આપી છે. કયા કાયદા હેઠળ મને મીરા રોડ જવાથી રોકવામાં આવી રહ્યો છે? બહારથી લોકો આવીને ભાષણ આપી શકે છે પણ હું લોકોને મળવા જઈ શકતો નથી. શું આ ન્યાય છે? પઠાણની પોસ્ટ બાદ પાર્ટીએ માહિતી આપી છે કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના રાષ્ટ્રીય પ્રવક્તા અને માજીના ધારાસભ્ય ભાયખલા વારિસ પઠાણ સોમવારે બપોરે 1.30 વાગ્યે મીરા રોડ પોલીસ કમિશનરની ઓફિસ પહોંચશે.

Whatsapp-channel Whatsapp-channel

19 February, 2024 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK