Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકસભામાં મળેલી ઓછી બેઠકોની ભરપાઈ વિધાનસભા વખતે કરી લઈશું : NCPના નેતા પ્રફુલ પટેલ

લોકસભામાં મળેલી ઓછી બેઠકોની ભરપાઈ વિધાનસભા વખતે કરી લઈશું : NCPના નેતા પ્રફુલ પટેલ

09 May, 2024 08:38 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમે વધુ બેઠકોની માગણી કરી હતી, પણ મહાયુતિમાં ત્રણ પક્ષોને બેઠકો ફાળવવાની હોવાથી બેઠકોની વહેંચણી વખતે મુશ્કેલી પડે છે

પ્રફુલ પટેલની ફાઇલ તસવીર

પ્રફુલ પટેલની ફાઇલ તસવીર


ભારતીય જનતા પાર્ટી સાથે મહાયુતિમાં જોડાયા બાદ પહેલી ચૂંટણી સાથે મળીને લડી રહેલા  નૅશ​નલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા પ્રફુલ પટેલે કહ્યું છે કે મહાયુતિમાં લોકસભાની ચૂંટણીમાં ચાર જ બેઠકો પર અમને ઉમેદવારી મળી છે, પણ હવે વિધાનસભા વખતે જેટલી વધુ મળે એટલી બેઠકો પર ઉમેદવાર ઊભા રાખીશું, લોકસભાની કસર વિધાનસભામાં પૂરી કરીશું. પ્રફુલ પટેલે કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીનો સારાસાર વિચાર કરી અમે ઓછી બેઠકો પર લડવા તૈયાર થયા. અમે વધુ બેઠકોની માગણી કરી હતી, પણ મહાયુતિમાં ત્રણ પક્ષોને બેઠકો ફાળવવાની હોવાથી બેઠકોની વહેંચણી વખતે મુશ્કેલી પડે છે એથી અમે એનો વિચાર કરી ઓછી બેઠકો પર સમાધાન માન્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 08:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK