Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બેથી વધુ બાળકો ધરાવતા મુસ્લિમ પરિવારને લાડકી બહિણ યોજનાની મદદ ન મળવી જોઈએ

બેથી વધુ બાળકો ધરાવતા મુસ્લિમ પરિવારને લાડકી બહિણ યોજનાની મદદ ન મળવી જોઈએ

Published : 11 December, 2024 02:47 PM | Modified : 11 December, 2024 02:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર સામે ન્યાયયાત્રા કાઢનારા નીતેશ રાણેએ કહ્યું...

નીતેશ રાણે

નીતેશ રાણે


ભારતીય જનતા પાર્ટી (BJP)ના સિંધુદુર્ગની કણકવલી બેઠકના વિધાનસભ્ય નીતેશ રાણેએ ગઈ કાલે બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં હિન્દુ ન્યાય યાત્રા તેમના મતવિસ્તારમાં કાઢી હતી. આ યાત્રામાં આયોજિત કરવામાં આવેલી સભામાં નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘આપણા હિન્દુઓ પર બંગલાદેશમાં અત્યાચાર થઈ રહ્યો છે. ઇસ્કૉનના સાધુની ધરપકડ કરીને જેલમાં નાખવામાં આવ્યા છે. તેમનો કેસ લડનારા વકીલની હત્યા કરી નાખવામાં આવી છે. હિન્દુ મહિલાઓ પર સામૂહિક બળાત્કારની ઘટનાઓ બની રહી છે. આ જોઈને આપણને બહુ દુઃખ થઈ રહ્યું છે અને લોહી ઊકળે છે. ચૂંટણીમાં મુસ્લિમ સમાજ મોદીના વિરોધમાં જે પણ હોય તેને મત આપે છે. તેમને હિન્દુત્વના વિચારની સરકાર નથી જોઈતી પણ દરેક સરકારી યોજનાનો લાભ મુસ્લિમો જ સૌથી વધુ લે છે. કોઈ પણ યોજનાનું લિસ્ટ જોશો તો આ લોકોનાં જ નામ વધુ જોવા મળશે. મોદી કે હિન્દુ વિચાર પસંદ નથી તો આ લોકો લાભ શા માટે લે છે? લાડકી બહિણ યોજનાના લાભાર્થીઓમાં પણ મુસ્લિમો વધુ હોવાનું જણાયું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને વિનંતી કરીશ કે આદિવાસી પરિવારને બાદ કરતાં જે મુસ્લિમ પરિવારમાં બેથી વધુ બાળકો હોય એને લાડકી બહિણ યોજનાનો લાભ ન આપો એટલે કે આવા પરિવારને આ યોજનામાંથી બાકાત રાખવા જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2024 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK