Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પહેલી એપ્રિલથી આખા મહિના માટે ૧૫ ટકા પાણીકાપ

પહેલી એપ્રિલથી આખા મહિના માટે ૧૫ ટકા પાણીકાપ

Published : 29 March, 2023 09:50 AM | Modified : 29 March, 2023 09:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાઇપલાઇનમાં ભંગાણ પડતાં સમારકામ હાથ ધરાયું છે

તસવીર : સમીર માર્કન્ડે

તસવીર : સમીર માર્કન્ડે


મુલુંડ-ઈસ્ટમાં ચેકનાકા પાસે આવેલા હરિઓમ નગર નજીક મુંબઈ મહાનગરપાલિકાની ૨૩૪૫ એમએમની મેઇન પાઇપલાઇનમાં સોમવારે બપોરે ભંગાણ પડતાં પાણીનો ફુવારો ઊડ્યો હતો અને પાણીનો ભારે વેડફાટ થયો હતો. એ પછી પાઇપલાઇનનું સમારકામ હાથ ધરાયું હતું અને ગઈ કાલે એ સમારકામ કરતી વખતે ફરી એમાં ભંગાણ પડ્યું હતું. મુંબઈ મહાનગરપાલિકાના ‘ટી’ વૉર્ડના અસિસ્ટન્ટ એન્જિનિયર લક્ષ્મીકાંત બોરસેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે પાઇપલાઇનમાં ભંગાણ પડતાં સમારકામ હાથ ધરાયું છે. એ સ્ટ્રેન્ચનું કામ કાપૂરબાવડી અને ઘાટકોપરના અધિકારીઓએ હાથ ધર્યું છે. બીજી બાજુ, મુંબઈને પાણી સપ્લાય કરતી મહત્ત્વની ટનલમાં થાણે નજીક બોરવેલના કામને લીધે પંક‍્ચર પડતાં એને રિપેર કરવા માટે સુધરાઈએ ૩૧ માર્ચથી આખા મહિના માટે શહેરમાં ૧૫ ટકા પાણીકાપની જાહેરાત કરી છે.  


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2023 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK