શહેરમાં મોટા મેળાવડા અને સરઘસ પર પ્રતિબંધ
ફાઇલ તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
મુંબઈમાં બીજી જાન્યુઆરી સુધી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. શહેરમાં શાંતિ સુનિશ્ચિત કરવા અને જાહેર વ્યવસ્થામાં કોઈ ખલેલ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે શહેરમાં ૧૪૪ લાગૂ કરિ હોવાથી તેમની સગવડતા માટે માર્ગદર્શિકા પણ જારી કરી છે. જે મુજબ, બીજી જાન્યુઆરી સુધી પાંચથી વધુ લોકો એક જગ્યાએ એકઠા થઈ શકશે નહીં. જો પાંચથી વધુ લોકો એકસાથે દેખાશે તો કાર્યવાહી કરવામાં આવશે.
એક અખબારી યાદીમાં મુંબઈ પોલીસના મિશન વિભાગના ડેપ્યુટી કમિશનર વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે, શહેરમાં કોઈપણ પ્રકારના મેળાવડા, સરઘસ, પ્રદર્શન, લાઉડસ્પીકર વગાડવા વગેરે પર બીજી જાન્યુઆરી સુધી પ્રતિબંધ રહેશે. હાલમાં, આ જ આદેશને ૧૭ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે અને મુંબઈમાં ચાર ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી સુધી શસ્ત્ર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ છે પ્રતિબંધો :
- જાહેર મનોરંજનના સ્થળોની આસપાસ મોટા પાયે સામાજિક મેળાવડા પર પ્રતિબંધ રહેશે.
- ફટાકડા ફોડવા, લાઉડ સ્પીકર વગાડવા, સંગીતનાં સાધનો અને બેન્ડ વગાડવા પર પ્રતિબંધ.
- જાહેર સ્થળે સૂત્રોચ્ચાર અને પ્રદર્શન પર પ્રતિબંધ.
- મોટા અવાજમાં ગીતો વગાડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
- લગ્ન સમારંભો, અંતિમ સંસ્કાર, કંપનીઓ, ક્લબ, સહકારી મંડળીઓ અને આવા અન્ય સંગઠનોની સામૂહિક સભાઓ પર પ્રતિબંધ.
- તમામ પ્રકારના સરઘસ પર પ્રતિબંધ.
- સરકારી અથવા અર્ધ-સરકારી કામ કરતી સરકારી કચેરીઓ, અદાલતો અને સ્થાનિક સંસ્થાઓની આસપાસ પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે.
- શૈક્ષણિક પ્રવૃત્તિઓ અથવા સામાન્ય વ્યવસાય માટે શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓના મોટા મેળાવડા પર પ્રતિબંધ.
- અગ્નિ હથિયારો, તલવારો અને આવા અન્ય શસ્ત્રોને મંજૂરી નથી.