Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai :દુકાનોના ભાડામાં 50 ટકા વધારાના બીએમસીના પ્રસ્તાવનો વેપારીઓએ કર્યો વિરોધ

Mumbai :દુકાનોના ભાડામાં 50 ટકા વધારાના બીએમસીના પ્રસ્તાવનો વેપારીઓએ કર્યો વિરોધ

25 March, 2023 08:25 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બીએમસીના બજારમાં મહામારી બાદ ભાડામાં ખૂબ જ વધારો થયો છે. બૃહન્મુંબઈ નગર નિગમે ગલીઓ અને બજાર સ્ટૉલ માટે ભાડું 50 ટકા વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે. (Mumbai Merchants Oppose BMC`s proposal for 50 percent rent Hike of Shops)

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બીએમસીના બજારમાં મહામારી બાદ ભાડામાં ખૂબ જ વધારો થયો છે. બૃહન્મુંબઈ નગર નિગમે ગલીઓ અને બજાર સ્ટૉલ માટે ભાડું 50 ટકા વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે. (Mumbai Merchants Oppose BMC`s proposal for 50 ટકા rent Hike of Shops)


છેલ્લા ભાડામાં ફેરફાર 1996માં થયા હતા. જો કે, વેપારીઓએ દાવો કર્યો કે માર્કેટ માટે એકાએક વધારો મનમરજીનો અને અયોગ્ય છે.



બીએમસી સ્ક્વેર ફૂટ પ્રમાણે ભાડું આપવાની યોજના ઘડી રહી છે. આ એક એવો પ્રસ્તાવ છે જેને ત્રણ વર્ષની રાહ જોયા બાદ આખરે સ્વીકારી લેવામાં આવ્યો. ક્રૉફર્ડ માર્કેટ સાથે બજાર અને સામાનની ગુણવત્તા ભાડું નક્કી કરશે. જે વિક્રેતાઓ પાસેથી પહેલા સ્ક્વેર ફૂટ પ્રમાણે ભાડું નહોતું લેવાતું, તેમને એકાએક ભાડાંમાં ફરક દેખાઈ શકે છે, જે તેમના નફાને પ્રભાવિત કરી શકે છે.


આવી જ એક માર્કેટ છે લાલબાગ માર્કેટ, જ્યાંના વેપારીઓ ખાસ ભાડાંમાં નવા વધારાને લઈને ચિંતાગ્રસ્ત છે. લાલબાગ માર્કેટ મર્ચેન્ટ એસોસિએશનનું માસિક ભાડું પાંચ ટકા વાર્ષિક વધારા અને 18 ટકા જીએસટી સાથે 120 રૂપિયાથી વધીને 1350 રૂપિયા થઈ ગયું છે. લાલબાગ માર્કેટના વેપારીઓએ આ મુદ્દે ચર્ચા કરવા માટે બીએમસી અધિકારીઓની મુલાકાત કરી છે અને ભાડાંમાં વધારા માટે તેમના વ્યવસાય પર થતા પ્રભાવ વિશે ચિંતા પણ વ્યક્ત કરી છે.

લાલબાગ માર્કેટ મર્ચેન્ટ્સ એસોસિએશનના અધ્યક્ષ રાજેન્દ્ર બહાદુર સિંહે કહ્યું, "અમે 120 રૂપિયાથી 200 રૂપિયાનો ઉછાળ સ્વીકારી શકીએ છીએ, પણ અમે આને પાંચ ટકા વાર્ષિક વધારો અને 18 ટકા જીએસટી સાથે વધારીને 1350 રૂપિયા નહીં કરી શકીએ, નગરપાલિકા દ્વારા નગરપાલિકા બજારનું મેઈન્ટેનન્સ પણ નથી કરવામાં આવતું."


વરિષ્ઠ અધિકારીઓએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને બીએમસી અધિકારી સાથે નિવારણ માટે ચર્ચા કરવાનો વાયદો પણ કર્યો છે.

આ પણ વાંચો : મૃત્યુ બાદ ફરી જીવતો થયો શખ્સ,જણાવ્યું- મોત બાદ શું થયું, ડૉક્ટર પણ સાંભળીને દંગ

લાલબાગ માર્કેટના વેપાર સંઘ અને સ્ટૉલ ધારકો તરફથી સંયુક્ત નગર આયુક્ત રમેશ પવાર, સહાયક નગર આયુક્ત પ્રકાશ રસલ, પૂર્વ શિવસેના યૂબીટી નગરસેવક અનિલ કોકિલ અને વિધેયક અજય ચૌધરી સાથે મુલાકાત કરી.

Whatsapp-channel Whatsapp-channel

25 March, 2023 08:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK