Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં ગેરકાયદે ઘૂસેલા ફેરિયાઓની હવે ખેર નથી

મુંબઈમાં ગેરકાયદે ઘૂસેલા ફેરિયાઓની હવે ખેર નથી

Published : 14 February, 2026 07:39 AM | Modified : 14 February, 2026 09:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બર્થ-સર્ટિફિકેટ અને આધાર કાર્ડની ચકાસણી કડક બનાવવામાં આવી

મુંબઈનાં મેયર રિતુ તાવડે

મુંબઈનાં મેયર રિતુ તાવડે


મુંબઈમાં ફુટપાથ પર વ્યવસાય કરતા દરેક ફેરિયા પાસે જન્મનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ હોવું ફરજિયાત છે અને એની કડક તપાસ કરવામાં આવશે. ૨૩૭ બોગસ બર્થ-સર્ટિફિકેટના કૌભાંડ બાદ મેયર રિતુ તાવડેએ આ આક્રમક વલણ અપનાવ્યું છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ વિતરિત કરેલાં ૨૩૭ બોગસ જન્મપ્રમાણપત્રોના મુદ્દા પર મુંબઈનાં મેયર રિતુ તાવડેએ ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું છે. BMCએ પ્રમાણપત્રો રદ કર્યાં છે છતાં હજી ગેરકાયદે બંગલાદેશી ઘૂસણખોરો પાસે કેમ છે એવો સવાલ રિતુ તાવડેએ કર્યો હતો તેમ જ ચેતવણી આપી છે કે ‘જો આ કેસમાં દોષી અધિકારીઓ સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો સીધો સભાગૃહમાં પ્રસ્તાવ પહોંચાડવામાં આવશે. ઉપરાંત બંગલાદેશીઓને છાવરનારા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK