Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાતારાના સંસદસભ્યે ચૂંટણી લડવાની ના પાડી, શરદ પવારને લાગ્યો ઝટકો

સાતારાના સંસદસભ્યે ચૂંટણી લડવાની ના પાડી, શરદ પવારને લાગ્યો ઝટકો

30 March, 2024 08:32 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૯માં NCPમાંથી ચૂંટાઈ આવેલા શ્રીનિવાસ પાટીલે તબિયતનું કારણ આપીને નામ પાછું ખેંચ્યું

સાતારામાં મીડિયા સાથે વાત કરતા શરદ પવાર.

સાતારામાં મીડિયા સાથે વાત કરતા શરદ પવાર.


નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક અને વ​રિષ્ઠ નેતા શરદ પવારને લોકસભાની ચૂંટણીનું મતદાન થાય એ પહેલાં જ ઝટકો લાગ્યો છે. ૨૦૧૯માં સાતારા લોકસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા સંસદસભ્ય શ્રીનિવાસ પાટીલે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. આ લોકસભા બેઠકમાં તેમને જ ઉમેદવારી આપવાની તૈયારી ચાલી રહી છે ત્યારે તેમણે પોતાની તબિયત સારી ન હોવાનું કહીને ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું. શરદ પવારે ગઈ કાલે સાતારાની મુલાકાત લીધી હતી અને ઉપસ્થિત પક્ષોના નેતા-કાર્યકરોને કહ્યું હતું કે શ્રીનિવાસ પાટીલે ચૂંટણી લડવાની અક્ષમતા દાખવી છે એટલે અહીંના ઉમેદવારનો નિર્ણય એક-બે દિવસમાં લેવામાં આવશે.


શરદ પવાર જૂથમાં તેમનાં પુત્રી સુપ્રિયા સુળે અને શ્રીનિવાસ પાટીલ જ સંસદસભ્ય છે. એમાંથી શ્રીનિવાસ પાટીલ ચૂંટણી લડવાના નથી એટલે શરદ પવાર માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2024 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK