Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજ્યના દિવ્યાંગોને હવે દર મહિને ૨૫૦૦ રૂપિયાની આર્થિક સહાય મળશે

રાજ્યના દિવ્યાંગોને હવે દર મહિને ૨૫૦૦ રૂપિયાની આર્થિક સહાય મળશે

Published : 06 September, 2025 12:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અત્યાર સુધી દિવ્યાંગોને ૧૫૦૦ રૂપિયાની સહાય મળતી હતી એને બદલે હવે દર મહિને ૨૫૦૦ રૂપિયાની સહાય સરકાર તરફથી મળશે. એથી દિવ્યાંગોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


રાજ્ય સરકારે સંજય ગાંધી નિરાધાર યોજના અને શ્રવણ બાળ યોજના હેઠળ હવે દિવ્યાંગોને આપવામાં આવતી આર્થિક સહાયમાં ૧૦૦૦ રૂપિયાનો વધારો કર્યો છે. અત્યાર સુધી દિવ્યાંગોને ૧૫૦૦ રૂપિયાની સહાય મળતી હતી એને બદલે હવે દર મહિને ૨૫૦૦ રૂપિયાની સહાય સરકાર તરફથી મળશે. એથી દિવ્યાંગોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

સામાજિક ન્યાય વિભાગે વધારાની સહાય તત્કાળ લાગુ કરવાનું કહ્યું હોવાથી આ વધારેલી સહાય સાથેની રકમનો હપ્તો આ જ મહિનામાં તેમના બૅન્ક-ખાતામાં જમા થઈ જશે. આ સહાયને કારણે તેમનો ઉપચાર, દવાઓ અને રોજબરોજની જરૂરિયાતો પૂરાં થઈ શકશે. સામાજિક ન્યાય અધિકારી કાર્યાલયે આ યોજનાના બધા જ લાભાર્થી દિવ્યાંગોને તેમનાં બૅન્ક-અકાઉન્ટ અપડેટ રાખવા તેમ જ તેમની અરજીઓ પેન્ડિંગ હોય તો એ પ્રોસેસ વહેલી તકે પૂરી કરવા જણાવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2025 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK