Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અજિત પવારના ૧૦ વિધાનસભ્યો શરદ પવારના કૅમ્પમાં પાછા ફરશે?

અજિત પવારના ૧૦ વિધાનસભ્યો શરદ પવારના કૅમ્પમાં પાછા ફરશે?

06 June, 2024 02:43 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બધાએ સુપ્રિયા સુળેને જીતની વધામણી આપતો મેસેજ કર્યો

શરદ પવાર અને સુપ્રિયા સુળે

શરદ પવાર અને સુપ્રિયા સુળે


કાકા શરદ પવારથી અલગ થઈને સત્તામાં જોડાયેલા અજિત પવારની સાથે આવેલા ૧૦ જેટલા વિધાનસભ્યોએ સુપ્રિયા સુળેને બારામતીની બેઠક પરથી ચૂંટાઈ આવતાં જીતની શુભેચ્છા આપતા મેસેજ કર્યા હતા. હવે એેવું પણ ચર્ચાઈ રહ્યું છે કે એ ૧૦ વિધાનસભ્યો શરદ પવારના સંપર્કમાં છે અને તેઓ ઘરવાપસી કરી શકે છે.


આ બાબતે થોડા જ દિવસ પહેલાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના કર્જત-જામખેડના વિધાનસભ્ય રોહિત પવારે બહુ સૂચક સ્ટેટમેન્ટ કર્યું હતું કે ‘સુનીલ તટકરે અને ધનંજય મુંડે કેટલાક વિધાનસભ્યોને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ચાલ્યા જશે. બાકી જે વિધાનસભ્યોએ અત્યાર સુધી શરદ પવારની ટીકા કરી નથી તેમને ઘરવાપસી માટે પાર્ટીના દરવાજા ખુલ્લા જ છે.’



અજિત પવારે શરદ પવારથી છેડો ફાડ્યો હતો ત્યારે તેમની સાથે ૪૦ વિધાનસભ્યો હતા. લોકસભાની આ ચૂંટણીમાં શરદ પવાર જૂથના ૧૦ ઉમેદવારોએ ઝુકાવ્યું હતું, જેમાંથી ૮ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે અ​જિત પવારના જૂથમાંથી માત્ર એક સુનીલ તટકરે રાયગડમાંથી જીતી શક્યા છે એટલું જ નહીં, અ​જિત પવાર તેમનાં પત્ની સુમેત્રા પવારને પણ ​જિતાડી શક્યા નથી એથી અજિત પવારના જૂથમાં બેચેની છે એમ સૂત્રોએ જણાવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2024 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK