Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાંદેડમાં ૨૦૦૦ લોકો ફૂડ પૉઇઝનિંગનો ભોગ બન્યા

નાંદેડમાં ૨૦૦૦ લોકો ફૂડ પૉઇઝનિંગનો ભોગ બન્યા

08 February, 2024 10:39 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના ગામમાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં ખોરાક લેવાથી આશરે ૨૦૦૦ લોકો ફૂડ પૉઇઝનિંગનો ભોગ બન્યા હતા.

ફૂડ પૉઈઝનિંગ માટેની પ્રતીકાત્મક તસવીર

ફૂડ પૉઈઝનિંગ માટેની પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના ગામમાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં ખોરાક લેવાથી આશરે ૨૦૦૦ લોકો ફૂડ પૉઇઝનિંગનો ભોગ બન્યા હતા.


મંગળવારે લોહા તહસીલ હેઠળના કોષ્ટવાડી ગામમાં એક ધાર્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક તથા આસપાસનાં સાવરગાંવ, પોસ્ટવાડી, રિસનગાંવ અને મસ્કી જેવાં ગામોના લોકો સાંજે પાંચ વાગ્યે ભેગા થયા હતા અને તેમણે ભોજન લીધું હતું. અધિકારીના જણાવ્યા મુજબ બુધવારે વહેલી સવારે અમુક લોકોને ઊલટીઓ થઈ હતી અને એ સિવાય છૂટીછવાઈ ફરિયાદો આવવાનું શરૂ થયું હતું. શરૂઆતમાં ૧૫૦ લોકોને નાંદેડના લોહામાં આવેલી સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં દરદીઓની સંખ્યામાં વધારો થતાં શંકરરાવ ચવાણ સરકારી મેડિકલ કૉલેજ સહિત અન્ય વિવિધ આરોગ્ય ખાતામાં કુલ ૮૭૦ દરદીઓને દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ માટે દરદીઓનાં સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં. અસરગ્રસ્ત ગામોમાં સર્વે માટે પાંચ ટીમોને તહેનાત કરવામાં આવી હતી.’ 



અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવા માટે એક રૅપિડ રિસ્પૉન્સ ટીમની પણ રચના કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2024 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK