Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈ-વિરારમાં ૪૯,૧૫૫ ચોરસફુટ જમીન પરથી અતિ જોખમી અને ગેરકાયદે બિલ્ડિંગો હટાવવામાં આવ્યાં

વસઈ-વિરારમાં ૪૯,૧૫૫ ચોરસફુટ જમીન પરથી અતિ જોખમી અને ગેરકાયદે બિલ્ડિંગો હટાવવામાં આવ્યાં

Published : 12 September, 2025 12:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)એ ગેરકાયદે ઇમારતો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)એ ગેરકાયદે ઇમારતો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. એમાં કુલ ૪૯,૧૫૫ ચોરસફુટ વિસ્તારમાંથી અતિ જોખમી ગણાતી અને ગેરકાયદે રીતે ઊભી કરાયેલી ઇમારતો હટાવવામાં આવી છે.

વિરારનું રમાબાઈ બિલ્ડિંગ ગેરકાયદે ઊભું કરવામાં આવ્યું હતું તેમ જ એમાં સમારકામની નોટિસને પણ બિલ્ડર દ્વારા અવગણવામાં આવી હતી જેને લીધે ૧૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટના બાદ પ્રશાસનની આંખ ખૂલી હતી અને ગણેશોત્સવ પતે પછી સોમવારથી ગેરકાયદે બિલ્ડિંગો સામે કાર્યવાહી શરૂ કરવાનો VVMCએ નિર્ણય લીધો હતો.



અનેક ચાલ અને કમર્શિયલ બિલ્ડિંગ સહિત અતિ જોખમી હાલતમાં હોય એવાં અથવા ગેરકાયદે ઊભાં કરાયેલાં અનેક બિલ્ડિંગો તોડી પાડવામાં આવ્યાં છે. અમુક બિલ્ડિંગો ખાલી કરવાની નોટિસ રહેવાસીઓને મોકલવામાં આવી છે. આ રીતે અત્યાર સુધીમાં ૪૯,૧૧૫ ચોરસફુટ જમીન પરથી ગેરકાયદે ઇમારતો હટાવવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2025 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK