Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દાદરની હિન્દુ કૉલોનીમાં લાગેલી આગમાં સિનિયર સિટિઝનનું મોત

દાદરની હિન્દુ કૉલોનીમાં લાગેલી આગમાં સિનિયર સિટિઝનનું મોત

24 September, 2023 12:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું.

તસવીર : શાદાબ ખાન

તસવીર : શાદાબ ખાન


દાદર-ઈસ્ટની હિન્દુ કૉલોનીમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ ૧૫ માળના રેઇન ટ્રી બિલ્ડિંગના ૧૩મા માળે ગઈ કાલે સવારે ૮.૩૭ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આ આગમાં ૬૦ વર્ષના સચિન પાટેકરનું ધુમાડો શ્વાસમાં જવાને કારણે ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયું હોવાનું સાયન હૉસ્પિટલના ડૉક્ટરોએ બીએમસીને જણાવ્યું હતું.


બીએમસીના જણાવ્યા અનુસાર આગ લાગ્યાની જાણ થતાં જ બે ફાયર એન્જિન, જમ્બો ટૅન્કર અને ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. આગ ૧૩૦૨ નંબરના બંધ ફ્લૅટમાં લાગી હતી જેમાં ઘરનો સામાન અને રાચરચીલું હતાં. આગને કારણે બહુ જ ધુમાડો થયો હતો. સચિન પાટકરના શ્વાસમાં ધુમાડો જતાં ગૂંગળામણ થવા માંડતાં તેમને સારવાર માટે તરત જ સાયન હૉસ્પિટલ લઈ જવાયા હતા. જોકે ડૉક્ટરે તેમને દાખલ કરતાં પહેલાં જ તપાસીને મૃત જાહેર કર્યા હતા. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું. ફાયર બ્રિગેડના જવાનોએ આ ઘટનામાં ફસાઈ ગયેલી એક મહિલાને બચાવી લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2023 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK