Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચાંદિવલીના નારાયણ પ્લાઝામાં આગ, બે લોકોએ ગૂંગળાઈને જીવ ગુમાવ્યો

ચાંદિવલીના નારાયણ પ્લાઝામાં આગ, બે લોકોએ ગૂંગળાઈને જીવ ગુમાવ્યો

Published : 08 January, 2026 10:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાયર-બ્રિગેડના અધિકારીઓને બચાવ-કામગીરી દરમ્યાન ત્રીજા માળે એક ઑફિસમાં બે લોકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


ચાંદીવલીમાં સાકીવિહાર રોડ પર આવેલા નારાયણ પ્લાઝા બિલ્ડિંગમાં ગઈ કાલે સાંજે આગ લાગવાથી બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીના જણાવ્યા મુજબ ગ્રાઉન્ડ પ્લસ ૪ માળના કમર્શિયલ બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગ્યા બાદ આખા બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો જેને કારણે બચાવ-કામગીરીમાં મુશ્કેલી પડી હતી.

ફાયર-બ્રિગેડના અધિકારીઓને બચાવ-કામગીરી દરમ્યાન ત્રીજા માળે એક ઑફિસમાં બે લોકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જોકે હૉસ્પિટલ પહોંચતાં જ બન્ને વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવી હતી. આગના કારણે ઇલેક્ટ્રિક વાયરિંગ અને ઇન્સ્ટૉલેશન, લિથિયમ-આયન બૅટરી, ઑફિસની ફાઇલો, ફર્નિચર, લાકડાનાં પાર્ટિશનો, કાચની બારીઓ, દરવાજા અને ફૉલ્સ સીલિંગને અસર થઈ હતી. આગ લગવાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

08 January, 2026 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK