Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં રહેતા ૧૭ પાકિસ્તાની નાગરિકોને એક્ઝિટ પરમિટ અપાઈ

મુંબઈમાં રહેતા ૧૭ પાકિસ્તાની નાગરિકોને એક્ઝિટ પરમિટ અપાઈ

Published : 29 April, 2025 09:17 AM | Modified : 30 April, 2025 06:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૮૫૦ ભારતીયો પાકિસ્તાનથી પરત આવ્યા હોવાનું પણ અટારી બૉર્ડરના પ્રોટોકૉલ ઑફિસર અરુણ પાલે જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે ભારતમાં હાજર તમામ પાકિસ્તાની નાગરિકોને પરત જવા માટે આદેશ આપ્યો હતો, જેના પગલે મુંબઈ પોલીસે શહેરમાં રહેતા ૧૭ પાકિસ્તાનીઓને શોધીને તેમને એક્ઝિટ પરમિટ આપી છે. ખાસ કરીને એવા પાકિસ્તાની નાગરિકો જે ટૂંકા ગાળાના અને ટૂરિસ્ટ વીઝા લઈને ભારતમાં આવ્યા હોય તેમને પાકિસ્તાન પરત મોકલવામાં આવી રહ્યા છે.

કેન્દ્ર સરકારે ટૂંકા ગાળાના વીઝા ધરાવતા પાકિસ્તાનીઓને પરત ફરવા માટે રવિવાર સુધીની ડેડલાઇન આપી હતી. આ સમયમર્યાદામાં અટારી બૉર્ડરથી કુલ ૫૩૭ પાકિસ્તાનીઓને પરત મોકલવામાં આવ્યા છે તેમ જ ૮૫૦ ભારતીયો પાકિસ્તાનથી પરત આવ્યા હોવાનું પણ અટારી બૉર્ડરના પ્રોટોકૉલ ઑફિસર અરુણ પાલે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK