Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સુધરાઈની ચૂંટણી માટે શિવસેનાએ આનંદરાજ આંબેડકરની રિપબ્લિકન સેના સાથે યુતિ કરી

સુધરાઈની ચૂંટણી માટે શિવસેનાએ આનંદરાજ આંબેડકરની રિપબ્લિકન સેના સાથે યુતિ કરી

Published : 17 July, 2025 11:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ સહિત રાજ્યનાં શહેરોમાં તેમ જ જિલ્લા પરિષદની ચૂંટણીમાં દલિતોના વોટ મેળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

ગઈ કાલે એકનાથ શિંદે બાબાસાહેબ આંબેડકરના પૌત્ર આનંદરાજ આંબેડકર સાથે.

ગઈ કાલે એકનાથ શિંદે બાબાસાહેબ આંબેડકરના પૌત્ર આનંદરાજ આંબેડકર સાથે.


મહારાષ્ટ્રમાં સુધરાઈની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે રાજકીય પક્ષોમાં પણ સત્તા મેળવવા માટે જોડતોડની રમત શરૂ થઈ ગઈ છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાએ ડૉ. બાબસાહેબ આંબેડકરના પૌત્ર આનંદરાજ આંબેડકરની રિપબ્લિકન સેના સાથે યુતિ કરી લીધી છે. મુંબઈ સહિત રાજ્યનાં શહેરોમાં તેમ જ જિલ્લા પરિષદની ચૂંટણીમાં દલિતોના વોટ મેળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.


યુતિની જાહેરાત કરતાં એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે ‘આનંદરાજ આંબેડકર અને રિપબ્લિકન સેના સાથે જોડાયાનું અમને ગર્વ છે. બન્ને પક્ષનાં સમાન મૂલ્યો અને સામાજિક ન્યાય માટેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના સર્વાંગી વિકાસ માટે અમે સાથે મળીને કામ કરીશું.’



આનંદરાજ આંબેડકર અગાઉ અમરાવતીથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પણ જીતી નહોતા શક્યા. રિપબ્લિકન સેનાની પકડ વિદર્ભમાં વધુ હોવાનું મનાય છે.


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2025 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK