Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ શિવાજી મહારાજનું અપમાન છે

આ શિવાજી મહારાજનું અપમાન છે

Published : 12 September, 2025 09:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્ગલોરના શિવાજીનગર મેટ્રો સ્ટેશનનું નામ સેન્ટ મૅરી કર્યું એને પગલે દેવેન્દ્ર ફડણવીસે કર્ણાટક સરકારની ટીકા કરીને કહ્યું...

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


બૅન્ગલોરના શિવાજીનગર મેટ્રો સ્ટેશનનું નામ બદલીને સેન્ટ મૅરી કરવાના કર્ણાટક સરકારના નિર્ણયની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટીકા કરી છે. જવાહરલાલ નેહરુના સમયથી કૉન્ગ્રેસ સરકાર મરાઠા રાજાઓનું અપમાન કરતી આવી છે એમ કહીને દેવેન્દ્ર ફડણવીસે રોષ વ્યક્ત કર્યો હતો.

કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ મેટ્રો સ્ટેશનનું નામ શિવાજીનગરને બદલે સેન્ટ મૅરી કરવાની જાહેરાત કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘હું આ નિર્ણયનો વિરોધ કરું છું. જવાહરલાલ નેહરુએ તેમના પુસ્તક ‘ડિસ્કવરી ઑફ ​ઇન્ડિયા’માં પણ શિવાજી મહારાજ વિશે અપમાનજનક માહિતી આપી હતી. ત્યારથી કૉન્ગ્રેસ મરાઠા યોદ્ધાઓ અને રાજાઓનું અપમાન કરતી આવી છે. ભગવાન સિદ્ધારમૈયાને સદ્બુદ્ધિ આપે કે ધર્મના આધારે નિર્ણય લઈને મરાઠા રાજાની વિરુદ્ધ લેવાયેલા આ નિર્ણયને આગળ ન વધારે.’


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2025 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK