Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી ચૂંટણીની જીત પર દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારે શું કહ્યું?

દિલ્હી ચૂંટણીની જીત પર દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારે શું કહ્યું?

Published : 08 February, 2025 09:40 PM | Modified : 08 February, 2025 10:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Delhi Assembly Elections 2025: મહારાષ્ટ્રના પુણેમાં પત્રકારો સાથે વાત કરતા, મુખ્ય પ્રધાને કહ્યું, "મને ખુશી છે કે 27 વર્ષના અંતરાલ પછી, ભાજપ દિલ્હીમાં ફરીથી ચૂંટાઈ આવી છે. દિલ્હીના લોકોએ સાબિત કર્યું કે તેઓ જુઠાણાની રાજનીતિ સહન કરશે નહીં.

એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર (ફાઇલ તસવીર)

એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર (ફાઇલ તસવીર)


મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માં ભાજપની જીત પર ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીના લોકોએ બતાવ્યું છે કે તેઓ હવે "જૂઠાણાની રાજનીતિ" સહન કરશે નહીં. સીએમએ દિલ્હીના ભૂતપૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટી (AAP) ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને "ભ્રષ્ટાચારનું પ્રતિક" પણ ગણાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP) દિલ્હીમાં સરકાર બનાવવા માટે તૈયાર છે, ચૂંટણી પંચના તાજેતરના મતદાન આંકડા દર્શાવે છે કે ભાજપે કુલ 70 વિધાનસભા બેઠકોમાંથી 48 બેઠકો પર જીત મેળવી અને AAPએ 22 બેઠકો પર જીત મેળવી છે, તો કૉંગ્રેસ એકપણ બેઠક મેળવવામાં અસફળ રહી હતી.


મહારાષ્ટ્રના પુણેમાં પત્રકારો સાથે વાત કરતા, મુખ્ય પ્રધાને કહ્યું, "મને ખુશી છે કે 27 વર્ષના અંતરાલ પછી, ભાજપ દિલ્હીમાં ફરીથી ચૂંટાઈ આવી છે. દિલ્હીના લોકોએ સાબિત કર્યું કે તેઓ જુઠાણાની રાજનીતિ સહન કરશે નહીં. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના વિઝનમાં વિશ્વાસ રાખીને ભાજપને મત આપ્યો. અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારના પ્રતિક છે, પરંતુ દિલ્હીના લોકોએ મોદીજીને ટેકો આપવાનું નક્કી કર્યું. દિલ્હીમાં રહેતા મરાઠી લોકોએ પણ મોદીજીને મત આપ્યો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે "એક હૈ તો સેફ હૈ" સૂત્ર ભવિષ્યમાં સમગ્ર દેશમાં કામ કરશે.



"મહારાષ્ટ્ર, હરિયાણા અને હવે દિલ્હીમાં આ જોવા મળ્યું છે અને આ કામ કરવાનું ચાલુ રાખશે," મુખ્યમંત્રીએ ઉમેર્યું. આ દરમિયાન, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માં ભાજપની કામગીરીનો શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટીઓને આપ્યો અને કહ્યું કે "જૂઠાણું" પરાજિત થયું છે. X પરની એક પોસ્ટમાં, શિવસેનાના વડા એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પછી, દિલ્હીના મતદારોએ પણ ભાજપના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.


આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધતા, તેમણે કહ્યું કે દિલ્હીના વિકાસમાં અવરોધો દૂર થયા છે. તેમણે કહ્યું કે મતદારોએ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટીને પણ પાઠ શીખવ્યો જેણે ખોટા દાવા કર્યા હતા કે બંધારણ જોખમમાં છે. "આ પીએમ મોદીની ગેરંટીનો જાદુ છે," એકનાથ શિંદેએ કહ્યું, "જૂઠાણું પરાજિત થયું છે અને મતદારો સત્ય સાથે ઉભા રહ્યા છે." મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માં ભાજપની નિર્ણાયક જીત બદલ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન આપ્યા.


અજિત પવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દિલ્હી અને કેન્દ્ર બન્નેમાં "ડબલ-એન્જિન" સરકારની રચના સાથે, શહેરનો વિકાસ ઝડપી બનશે, જે દિલ્હીવાસીઓના સારા શહેર, સ્વચ્છ પાણી, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આરોગ્યસંભાળ સાથેના સપનાને પૂર્ણ કરશે.

Whatsapp-channel Whatsapp-channel

08 February, 2025 10:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK