Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકલ ટ્રેનના પૈડામાં આગ લગતા મધ્ય રેલવેનો ટ્રાફિક ખોરવાયો, જુઓ વીડિયો

લોકલ ટ્રેનના પૈડામાં આગ લગતા મધ્ય રેલવેનો ટ્રાફિક ખોરવાયો, જુઓ વીડિયો

16 February, 2023 02:23 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ ઘટના પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને હજુ સુધી કંટ્રોલ રૂમને કોઈ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો નથી, એમ મધ્ય રેલવેના જનસંપર્ક વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે

તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા

તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા


મધ્ય રેલવે (Central Railway)ના આસનગાંવ (Asangaon) રેલવે સ્ટેશન નજીક મુંબઈ તરફ જતી કસારા લોકલ (Mumbai Local)ના પૈડામાં આગ (Fire In Local Train) લાગી હતી. ટ્રેનમાં પણ આગ ફેલાશે તેવા ભયથી મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. એક મુસાફરે તરત જ આસનગાંવ સ્ટેશન માસ્ટરને આ અંગે જાણ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. મોટરમેન, ગાર્ડ ઘટનાસ્થળે દોડી ગયા હતા. રેલવે ટેકનિશિયનોએ આગના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે પ્લાસ્ટિકની થેલીના કારણે ટાયરમાં આગ લાગી હતી. પ્લાસ્ટિકની થેલી દોડતી લોકલના વ્હીલ પર ફસાઈ ગઈ હતી. વ્હીલના ઘર્ષણને કારણે બેગમાં આગ લાગી હોવાનું અનુમાન છે.




આ ઘટનાની જાણ થતા રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પૈડામાં લાગેલી આગ ઓલવાયા બાદ લોકલ ટ્રેન આગળ વધી હતી. પ્લાસ્ટિકના ઘર્ષણને કારણે વ્હીલમાં આગ લાગી હતી એવું કહેવાય છે. જોકે, ઘટનાને કારણે લોકલ સેવા મોડી ચાલી રહી છે, એમ કલ્યાણ-કસારા રેલવે પેસેન્જર્સ વેલ્ફેર એસોસિએશને મીડિયાને જણાવ્યું હતું. દરમિયાન, આ ઘટના પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને હજુ સુધી કંટ્રોલ રૂમને કોઈ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો નથી, એમ મધ્ય રેલવેના જનસંપર્ક વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

મુસાફરોએ પાણીની બોટલોમાંથી પાણી નાખી આગ ઓલવી


ગુરુવારે સવારે કલ્યાણ-કસારા-સીએસએમટી 8.18 વાગ્યે સુપરફાસ્ટ લોકલમાં આસનગાંવ રેલવે સ્ટેશન પાસે આગ લાગી હતી. મુસાફરોની ચીસોને કારણે ગાર્ડનું ધ્યાન ખેંચાયું હતું. આસનગાંવ સ્ટેશન પાસે પેડેસ્ટ્રિયન બ્રિજ નજીક લોકલને ઊભી રાખવામાં આવી હતી. આગ નાની હતી, તેથી બેથી ત્રણ મુસાફરોએ હિંમત કરીને પોતાની પાણીની બોટલોમાંથી પાણી આગ પર નાખ્યું હતું, ત્યાર બાદ આગ ઓલવાય હતી.

આ પણ વાંચો: Mumbai Crime: લગ્ન માટે દબાણ કરતી હતી પરિણીત પ્રેમિકા, બોયફ્રેન્ડે કરી હત્યા

આગના કારણે આસનગાંવ રેલવે સ્ટેશન પર 20 મિનિટ સુધી ટ્રાફિક ખોરવાયો હતો. કલ્યાણ રેલવે સ્ટેશન પછી કસારા લોકલ સુપરફાસ્ટ લોકલ તરીકે દોડી રહી છે. તેથી આ લોકલમાં ડોમ્બિવલી, થાણે, ઘાટકોપર લોકલના મુસાફરોની ભીડ ઊમટી છે. કસારા લોકલ મોડી ચાલતી હોવાથી કલ્યાણ આગળ આ લોકલ દ્વારા મુસાફરી કરતા મુસાફરોએ અન્ય લોકલ દ્વારા આગળ મુસાફરી કરવાનું પસંદ કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

16 February, 2023 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK