આ ઘટના 27 ડિસેમ્બર, 2025 ના રોજ બની હતી. ટ્રેન નંબર 22225 વંદે ભારત એક્સપ્રેસના કોચ C-16 ના ટોઇલેટમાં એક સાપ મળી આવ્યો હતો. રેલવે સ્ટાફે તાત્કાલિક ટોઇલેટ બંધ કરી દીધું અને કંટ્રોલ રૂમને જાણ કરી. ટ્રેને તેની સફર ચાલુ રાખી.
સીસીટીવી ફૂટેજમાં આરોપી સાપને ટોઇલેટની અંદર મૂકતો જોવા મળ્યો હતો. (તસવીર: મિડ-ડે)
મધ્ય રેલવેના રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ વંદે ભારત એક્સપ્રેસના કોચમાં સાપ છોડવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીનું નામ જગન અર્જુન ભાલે (37) છે, જે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાનો રહેવાસી છે. તેને 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ મુમ્બ્રાથી ધરપકડ કરવામાં આવી હતી.
ટ્રેન કોચના ટોઇલેટમાં સાપ મળ્યો
ADVERTISEMENT
આ ઘટના 27 ડિસેમ્બર, 2025 ના રોજ બની હતી. ટ્રેન નંબર 22225 વંદે ભારત એક્સપ્રેસના કોચ C-16 ના ટોઇલેટમાં એક સાપ મળી આવ્યો હતો. રેલવે સ્ટાફે તાત્કાલિક ટોઇલેટ બંધ કરી દીધું અને કંટ્રોલ રૂમને જાણ કરી. ટ્રેને તેની સફર ચાલુ રાખી. બાદમાં સોલાપુર રેલવે સ્ટેશન પર સાપને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો. સીસીટીવી ફૂટેજમાં પાછળથી એક અજાણ્યો વ્યક્તિ કોચના ટોઇલેટમાં સાપ મૂકતો જોવા મળ્યો.
રેલવે ઍક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો
ઘટના પછી, રેલવે ઍક્ટ, 1989 ની કલમ 145(B), 147 અને 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ શરૂ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને સૂત્રો પાસેથી મળેલી માહિતીની મદદથી, આરપીએફ ટીમે આરોપીને શોધી કાઢ્યો અને તેને મુમ્બ્રાથી ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન, આરોપીએ ગુનો કબૂલ્યો હતો. તેને કલ્યાણની રેલવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે 14 દિવસના મેજિસ્ટ્રેટ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે વિગતવાર તપાસ ચાલી રહી છે. મધ્ય રેલવેના અધિકારીઓએ ઝડપી કાર્યવાહી અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા બદલ આરપીએફ ટીમની પ્રશંસા કરી.
અચાનક રેલવે-મુસાફરી કરનારાઓ માટે ગુડ ન્યુઝ
ભારતીય રેલવેએ અમૃત ભારત અને વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં ઇમર્જન્સી ક્વોટા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડે આ સંદર્ભમાં એક આદેશ જાહેર કર્યો છે, જેનાથી મુસાફરોને અચાનક મુસાફરી કરવાની જરૂર પડે તો તેમને સીટ અથવા બર્થ મળવાની શક્યતા વધી જશે. અત્યાર સુધી આ ટ્રેનોમાં ફક્ત મહિલા ક્વોટા, દિવ્યાંગ ક્વોટા, સિનિયર સિટિઝન ક્વોટા અને ડ્યુટી પાસ ક્વોટા લાગુ પડતા હતા. જોકે હવે ખાસ પરિસ્થિતિમાં મુસાફરો માટે એક અલગ ઇમર્જન્સી ક્વોટા સ્થાપિત કરવામાં આવશે, જે જરૂરિયાત મુજબ ઍડ્જસ્ટ કરી શકાશે. ઇમર્જન્સી ક્વોટા હેઠળની બેઠકો ફક્ત અમુક વ્યક્તિઓ અથવા તેમના દ્વારા ભલામણ કરાયેલા મુસાફરો માટે જ ઉપલબ્ધ છે. રેલવે બોર્ડના આદેશ મુજબ ૭ કે એથી વધુ સ્લીપર કોચ ધરાવતી અમૃત ભારત ટ્રેનો માટે ૨૪ બર્થનો ઇમર્જન્સી ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. આનો હેતુ અચાનક મુસાફરી કરતા મુસાફરો માટે ટિકિટ ઉપલબ્ધ કરાવવાનો છે. વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં વિવિધ વર્ગો માટે ઇમર્જન્સી ક્વોટા અલગ-અલગ નક્કી કરવામાં આવ્યો છે. ફર્સ્ટ AC (ઍર-કન્ડિશન્ડ)માં અઠવાડિયાના દિવસોમાં ૪ બર્થ અને વીક-એન્ડમાં ૬ બર્થનો ક્વોટા રહેશે. સેકન્ડ ACમાં અઠવાડિયાના દિવસોમાં ૨૦ બર્થ અને વીક-એન્ડમાં ૩૦ બર્થનો ક્વોટા રહેશે. થર્ડ ACમાં અઠવાડિયાના દિવસોમાં ૨૪ બર્થ અને વીક-એન્ડમાં ૪૨ બર્થનો ઇમર્જન્સી ક્વોટા રહેશે.


