એકનાથ શિંદે જૂથ બાદ બોરીવલીમાં ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસૈનિક પર ફાયરિંગ : આઇ. સી. કૉલોનીની ઑફિસમાં જ ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકર પર ગોળીબાર કર્યા બાદ મૉરિસ નરોનાએ પોતાના પર પણ ચાર ગોળીઓ મારી
ફેસબુક લાઇવ ચાલી રહ્યું હતું ત્યારે જ મૉરિસ નરોનાએ અભિષેક ઘોસાળકર પર ગોળીબાર કર્યો હતો.
ઉલ્હાસનગરમાં બીજેપીના વિધાનસભ્યે એકનાથ શિંદે જૂથના નેતા પર પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કરવાની ઘટના હજી તાજી છે ત્યાં ગઈ કાલે રાત્રે બોરીવલીમાં ઉદ્ધવ ઠાકરે જૂથના ભૂતપૂર્વ નગરસેવક પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટના બનતાં ખળભળાટ મચી ગયો છે. ફાયરિંગ કરનારાએ બાદમાં પોતાને પણ ચાર ગોળી મારી હોવાનું જાણવા મળ્યું હતું. બંને ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી અભિષેકને બોરીવલીમાં આવેલી કરુણા હૉસ્પિટલ તો મૉરિસને કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અભિષેકના પેટમાં ત્રણ ગોળી અને મૉરિસના માથા તથા શરીરમાં ગોળીઓ વાગી હોવાનું કહેવાય છે. બંને જણના આ ઘટનામાં મરણ થઈ ગયા છે.
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-dk.png)
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-mb.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)