Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાંદ્રા-વર્સોવા સી લિંકનું નામ બદલાયું, નવા નામની CM એકનાથ શિંદે કરી જાહેરાત

બાંદ્રા-વર્સોવા સી લિંકનું નામ બદલાયું, નવા નામની CM એકનાથ શિંદે કરી જાહેરાત

29 May, 2023 08:39 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્ર સરકાર(Maharashtra Government)એ વીર સાવરકર જયંતિ(veer savarkar Jayanti)ના અવસર પર રવિવારે એક મોટી જાહેરાત કરી હતી. સીએમ એકનાથ શિંદે(CM Eknath Shinde)એ જાહેરાત કરી કે બાંદ્રા વર્સોવા સી લિંક(Bandra Versova link road)હવેથી...

એકનાથ શિંદે

એકનાથ શિંદે


મહારાષ્ટ્ર સરકાર(Maharashtra Government)એ વીર સાવરકર જયંતિ(veer savarkar Jayanti)ના અવસર પર રવિવારે એક મોટી જાહેરાત કરી હતી. સીએમ એકનાથ શિંદે(CM Eknath Shinde)એ જાહેરાત કરી કે બાંદ્રા વર્સોવા સી લિંક(Bandra Versova link road)હવેથી `વીર સાવરકર સેતુ` તરીકે ઓળખાશે. 28 મે રવિવારના રોજ વીર સાવરકરની 140મી જન્મજયંતિ હતી. મળતી માહિતી મુજબ બાંદ્રા વર્સોવા સી લિંકનું નામ બદલવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. અગાઉ એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે રાજ્ય સરકાર સી લિંકનું નામ બદલી શકે છે.

બાંદ્રા સી લિંકનું નામ બદલાયું



આવી સ્થિતિમાં હવે સીએમ એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે હવેથી બાંદ્રા વર્સોવા સી લિંકને `વીર સાવરકર સેતુ` તરીકે ઓળખવામાં આવશે. રવિવારે, સીએમ શિંદેની આગેવાની હેઠળની સરકારે, નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે, નવા સંસદ ભવનને નવા ભારતનું પ્રતીક ગણાવ્યું. એમ પણ કહ્યું કે રાજ્ય માટે ગર્વની વાત છે કે વીર સાવરકર જયંતિ નિમિત્તે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે એક તરફ ઘણા વિરોધ પક્ષો વીર સાવરકરને વિલન તરીકે રજૂ કરે છે. બીજી તરફ શાસક પક્ષ હંમેશા વીર સાવરકરને હીરો તરીકે રજૂ કરતો આવ્યો છે.


આ પણ વાંચો: વિવાદ વકર્યો: દિલ્હી પોલીસે કુસ્તીબાજોની કરી અટક, જંતર-મંતર પરથી ઉખેડી નાખ્યા તંબુ

વીર સાવરકર જયંતિ પર નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન


તમને જણાવી દઈએ કે ગઈકાલે 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ એપિસોડમાં વિપક્ષી દળોએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. વિરોધ પક્ષોએ કહ્યું કે નવા સંસદ ભવનની જરૂર હતી? બીજી તરફ કેટલાક પક્ષોએ કહ્યું કે સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવે. જણાવી દઈએ કે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન દરમિયાન ઘણા બ્રાહ્મણ પૂજારીઓ સંસદ ભવન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પીએમ મોદીને રાજદંડ સેંગોલ પણ આપ્યો હતો. વડાપ્રધાન મોદી દ્વારા લોકસભા અધ્યક્ષની સીટ પાસે સેંગોલ લગાવવામાં આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2023 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK