અનેક બચકાં ભરીને ઘાયલ કર્યા : વસઈ-વિરાર ક્ષેત્રમાં સુધરાઈ દ્વારા સંચાલિત ૨૨ આરોગ્ય કેન્દ્રમાં દરરોજ કૂતરા કરડવાના સરેરાશ ૨૦ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે ઃ નસબંધી ન કરાતાં વધી ગયેલી શ્વાનની વસતિથી દહેશત ઊભી થઈ છે
પાલિકા સંચાલિત નાલાસોપારાની આ હૉસ્પિટલમાં સાયમન મિનેજની સારવાર કરવામાં આવી રહી છે.
વિરારમાં બે દિવસ પહેલાં વહેલી સવારે ૮૩ વર્ષના એક સિનિયર સિટિઝન પર રઝળતા કૂતરાઓએ હુમલો કરીને તેમને ગંભીર રીતે ઘાયલ કર્યા હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. કૂતરાઆએ છાતી, પેટ, પગ સહિતના ભાગમાં બચકાં ભરતાં સિનિયર સિટિઝનને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા છે. વસઈ-વિરાર મહાનગરપાલિકાનાં ૨૨ આરોગ્ય કેન્દ્રમાં દરરોજ કૂતરા કરડવાના સરેરાશ ૨૦ જેટલા કેસ નોંધાઈ રહ્યા હોવાથી કૂતરાઓની આ ક્ષેત્રમાં દહેશત ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.